IPLમાં આ વર્ષે પ્લેઓફની રેસ ખૂબ રસપ્રદ થઇ ગઈ છે અને ચેન્નઈ સુપર કિંગ્સ ટૂર્નામેન્ટથી બહાર થઇ ગઈ છે ત્યારે એમએસ ધોની સંન્યાસને લઈને ચર્ચામાં છે.
IPLમાંથી સંન્યાસ નથી લેવાના ધોની
વિવિધ ખેલાડીઓ અપાતી ટી શર્ટ વિશે ધોનીએ કર્યો ખુલાસો
કદાચ તેમને લાગતું હશે કે હું સંન્યાસ લઇ રહ્યો છું : ધોની
આઈપીએલમાં આ સિઝનમાં એમએસ ધોની મેદાન પર ઉત્સાહજનક પ્રદર્શન કરી ન શક્યા. ચેન્નઈ સુપર કિંગ્સે પોતાની છેલ્લી મેચમાં પંજાબને ધૂળ ચટાડી પરંતુ આ મેચમાં પણ ધોનીએ કંઈ ખાસ પ્રદર્શન કર્યું નહીં પરંતુ માહીના ચાહકોએ તેમને સોશ્યલ મીડિયામાં ખૂબ ટ્રેન્ડ કરાવ્યા.
મેચની શરૂઆતમાં જ ધોનીએ એમ પુષ્ટિ કરી નાખી કે તેઓ અત્યારે આઈપીએલમાંથી સંન્યાસ લેવાના નથી અને આવતા વર્ષે ફરીવાર પીળી જર્સીમાં જ તેઓ રમતા દેખાશે. ક્રિકેટના જાણકારો માની રહ્યા છે કે હવે ધોનીની નજર આવનાર સીઝન પર રહેશે.
આ સીઝનમાં વિપક્ષી ટીમોને ધોનીની જર્સી આપવામાં આવી, કેટલાક ખેલાડીઓને ધોનીની આ જર્સી મળી અને તે બાદ સોશ્યલ મીડિયામાં ચર્ચા શરુ થઇ ગઈ કે ધોની સંન્યાસ તો નથી લઇ રહ્યા ને !
ધોનીએ પોતે ખૂલાસો કર્યો છે કે ખેલાડીઓએ તેમની જર્સી માંગી કારણ કે તેઓ વિચારી રહ્યા હશે કે ટૂર્નામેન્ટમાંથી તેઓ સંન્યાસ લઇ રહ્યા છે.
મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું કે કદાચ તેમને લાગી રહ્યું હશે કે હું રીટાયર થઇ રહ્યો છું, તમે જાણો જ છો કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લઇ લીધો છે અને તેના કારણે તેઓ વિચારી રહ્યા હશે કે મેં આઈપીએલમાંથી સંન્યાસ લેવાની તૈયારી કરી છે.