ઇન્ડિયન ક્રિકેટના ઇતિહાસના સૌથી સફળ કેપ્ટન પૈકી એક મહેન્દ્ર સિંહ ધોની મેદાનમાં ઓપોઝિટ ટીમને હરાવવા માટે અલગ જ સ્ટ્રેર્જીનો ઉપયોગ કરતા હતો.2017માં ધોનીએ કેપ્ટન્સની છોડીને વિરાટને ટીમ ઇન્ડિયાની કેપ્ટન્સી મળે તે માટે રસ્તો કરી આપ્યો. ધોનીએ કેપ્ટન્સી છોડી તે ભારતીય ફેન્સ માટે મોટો આઘાત હતો કારણ કે ધોનીએ અચાનક જ નિર્ણય લીધો હતો.
જોકે ધોની આ પ્રકારે જ નિર્ણય લીધો તેવી પ્રથમ ઘટના નથી. ડિસેમ્બર 2014માં ઓસ્ટ્રેલિયાની સામેની સીરિઝમાં ધોનીએ અચાનકથી કેપ્ટન્સી છોડી દીધી હતી. એટલું જ નહીં ટેસ્ટ ક્રિકેટમાંથી તાત્કાલિક રિટાયર થવાની જાહેરાત પણ કરી હતી. તાજેતરમાં જ રાંચીના મુંડા એરપોર્ટ પર એક મોટિવેશનલ પ્રોગ્રામ દરમિયાન ધોનીએ વનડે અને T-20ની કેપ્ટનશિપ છોડવા અંગેના કારણનો ખુલાસો કર્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ધોનીએ કહ્યુ કે ''મેં કેપ્ટન્સી એટલે છોડી કે હું ઇચ્છતો હતો કે નવા કેપ્ટન (વિરાટ કોહલી)એ 2019ના વર્લ્ડ કપ પહેલા એક ટીમ તૈયાર કરવા માટે પૂરતો સમય મળે. નવા કેપ્ટન (વિરાટ કોહલી)એ મજબૂત ટીમની પસંદગી માટે પૂરતો સમય મળે. એટલે જ મને લાગે છે કે મેં યોગ્ય સમયે કેપ્ટનશીપ છોડી દીધો.''
વિકેટકિપર અને બેટ્સમેન ધોનીના ટેસ્ટ કરિયર પર નજર કરવામાં આવે તો તેણે 90 ટેસ્ટમાં 16 વખત નોટઆઉટ રહી 4876 રન કર્યા હતા. જે સમયે તેણે 6 સેન્ચુરી અને 33 હાફ સેન્ચુરી ફટકારી હતી.આ સિવાય ધોનીના નામે એક ડબલ સેન્ચુરી પણ સામેલ હતી.
બીજી તરફ 321 વન-ડેમાં 78 વખત નોટઆઉટ રહી 10 046 રન ફટકાર્યા છે. જે વનડેમાં 10 સેન્ચુરી અને 67 ફિફ્ટી પણ લગાવી ચૂક્યા છે. જ્યારે T-20માં 93 મેચમાં 1487 રન કરી 2 હાફ સેન્ચુરી ફટકારી છે.