ચેન્નઈ સુપર કિંગ્સે શનિવારે ચેન્નઈમાં જીતની ઉજવણી કરી
એમએસ ધોનીએ નિવૃત્તિ અંગે આપ્યો મોટો સંકેત
હું મારી અંતિમ ટી-20 મેચ ચેન્નઈમાં રમવા માંગુ છું
ધોની પાછો આવ્યાં બાદ CSKના મેનેજમેન્ટે કરી ઉજવણી
આઈપીએલ પૂરી થયા બાદ મહેન્દ્ર સિંહ ધોની ભારતીય ટીમની સાથે ટી-20 વર્લ્ડ કપમાં વ્યસ્ત થઇ ગયા હતા. પરંતુ તેઓ જ્યારે પાછા આવ્યાં ત્યારે ચેન્નઈ સુપરકિંગ્સના મેનેજમેન્ટે આ ઉજવણી કરી. આ દરમ્યાન એમએસ ધોનીએ પણ મોટો સંકેત આપ્યો છે.
હું અંતિમ ટી-20 મેચ ચેન્નઈમાં રમવા માંગુ છુ: MS ધોની
એમએસ ધોનીએ કાર્યક્રમમાં પોતાના ભવિષ્ય અંગે વાત કહી અને જણાવ્યું કે તેઓ પોતાની અંતિમ ટી-20 મેચ ચેન્નઈમાં રમવા માંગે છે. ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટને કહ્યું કે મેં હંમેશા પોતાનો ક્રિકેટ પ્લાન કર્યો છે. મેં અંતિમ વન-ડે મેચ રાંચીમાં રમી હતી. મને આશા છે કે મારી અંતિમ ટી-20 મેચ ચેન્નઈમાં રમાશે. તે આગામી વર્ષે થાય છે કે 5 વર્ષ બાદ તેનો ખ્યાલ નથી.
— Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) November 20, 2021
ધોનીની આગેવાનીમાં ટીમે IPL 2021નો ખિતાબ જીત્યો
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બહૂ પહેલા અલવિદા કહી ચૂકેલા એમએસ ધોની અત્યારે આઈપીએલમાં રમી રહ્યાં છે. તેમની આગેવાનીમાં ટીમે આઈપીએલ 2021નો ખિતાબ જીત્યો. ભલે એમએસ ધોની પોતાની બેટીંગથી કોઈ ધારદાર પ્રદર્શન કરી શક્યા ના હોય. પરંતુ તેઓ સારા ફિનિશર છે. આ સાથે કેપ્ટનશિપમાં તેમનો કોઈ મુકાબલો કરી શકે તેમ નથી.