બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / MS Dhoni not taking retirement from IPL

IPL 2020 / માહીના ચાહકો માટે મોટા સમાચાર, IPLમાંથી સંન્યાસ મુદ્દે ધોનીએ કરી નાખી મોટી જાહેરાત

Parth

Last Updated: 05:31 PM, 1 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPLની આ સિઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સનું પ્રદર્શન આ વર્ષે કંઈ ખાસ નથી રહ્યું છે પ્લેઓફની રેસમાંથી ટીમ બહાર થઇ ગઈ છે ત્યારે મહેન્દ્ર સિંહ ધોનીએ સંન્યાસને લઈને મોટું નિવેદન આપ્યું છે.

  • IPLમાંથી સંન્યાસને લઈને ધોનીનું મોટું નિવેદન 
  • ધોનીએ કહ્યું IPLમાંથી નહીં લે સંન્યાસ 
  • આ વર્ષે IPLમાં ચેન્નઈ અને માહીનું નિરાશાજનક પ્રદર્શન 

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ થોડા મહિના પહેલા જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે અને આઈપીએલમાં રમી રહ્યા છે. ચેન્નઈ સુપર કિંગ્સ હાલમાં પ્લેઓફની રેસમાંથી બહાર થઇ ગઈ છે અને લીગમાં હવે ચેન્નઈ છેલ્લી મેચ રમી રહી છે ત્યારે ટોસ વખતે ધોનીને સવાલ કરવામાં આવ્યો કે શું તમે પીળી જર્સીમાં છેલ્લી મેચ રમી રહ્યા છો ? 

ધોનીએ આ વર્ષે 15મી ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય કરિયરને અલવિદા કહી દીધું, આ સીઝનમાં ધોની અને ચેન્નઈની ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે અને ધોની પોતે પણ બેટિંગમાં કંઈ ખાસ કરી શક્યા નથી ત્યારે ઘણા બધા લોકો સવાલ કરી રહ્યા છે કે શું આ ધોનીની છેલ્લી મેચ તો નથી ને ? 

આજે પંજાબ સામે રમાતી મેચમાં જ્યારે ટોસ કરવામાં આવ્યો ત્યારે ધોનીને પૂછવામાં આવ્યું કે ચેન્નઈ માટે તમારી આ છેલ્લી મેચ તો નથી ને ? ત્યારે ધોનીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે 'નિશ્ચિતરૂપ નહીં' એટલે કે હવે માહીના ચાહકોને સંકેત મળી ગયા છે કે કેપ્ટન કૂલ હજુ આઈપીએલની આગામી સિઝનમાં પણ રમતા દેખાશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Chennai Super Kings Ipl 2020 Mahendra Singh Dhoni ચેન્નઈ સુપર કિંગ્સ મહેન્દ્ર સિંહ ધોની IPL 2020
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ