પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ભલે હાલ સંન્યાસ માટે ના વિચારી રહ્યો હોય, પરંતુ એના સમામ સંકેત મળવાનું શરૂ થઇ ગયું છે કે હવે મહેન્દ્ર સિંહ ધોનીનું કરિયર હવે ખતમ થઇ ગયું છે.
વર્લ્ડકપના સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડના હાથે મળેલી હાર બાદથી મહેન્દ્ર સિંહ ધોનીના સંન્યાસ લેવાની અટકળો હજુ ચાલુ છે. પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ભલે હાલ સંન્યાસ માટે વિચારી રહ્યો ના હોય, પરંતુ એ વાતનો સંકેત મળવાનું ચાલુ થઇ ગયું છે કે હવે મહેન્દ્ર સિંહ ધોનીનું કરિયર ખતમ થઇ ગયું છે.
આ વખતના વર્લ્ડકપમાં મહેન્દ્ર સિંહ ધોનીની બેટિંગને લઇને ખૂબ વિવાદ છેડાયો છે. વર્લ્ડકપમાં જે રીતે મહેન્દ્ર સિંહ ધોનીએ ધીમી ઇનિંન્ગ રમી એનાથી ધોનીની બેટિંગ પર પ્રશ્નો ઊઠાવવાનું શરૂ થઇ ગયું છે.
BCCI થી જોડાયેલા સૂત્રોના હવાલાથી જાણવા મળ્યું છે કે સમગ્ર વર્લ્ડકપમાં ધોનીની ધીમી બેટિંગને જોતા ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદ જલ્દી એની સાથે વાત કરશે. એમને કહ્યું કે જો એ જાતે સંન્યાસ નહીં લે તો કદાચ એને ટીમમાં ઑટોમેટિક નહીં લેવામાં આવે, એમને એવો સંકેત આપી દીધો કે હવે ધોની ટીમ પસંદગીની યોજનામાં સામેલ નથી.
સૂત્રોએ જણાવ્યું, 'ઋષભ પંત જેવા યુવા ક્રિકેટર પોતાના વારાની રાહ જોઇ રહ્યા છે. ધોની હવે પહેલા જેવી ફિનિશર રહ્યો નથી. તે 6 કે 7 નંબર પર બેટિંગ કરવા ઊતરે તો પણ સંઘર્ષ કરતો જોવા મળે છે. આ કારણે ટીમને નુકસાન થઇ રહ્યું છે.' ન્યૂઝીલેન્ડ સામે ધોનીની બેટિંગ ખૂબ જ ધીમી હતી. છેલ્લી ઓવરોમાં જ્યારે બોલ કરતાં વધુ રનની જરૂર હતી ત્યારે તે આઉટ થઇ ગયો અને ભારત 18 રનથી હારી ગયું.
જો કે આ પહેલા એવી માહિતી મળી હતી કે ધોની અને સિલેક્ટર્સની વચ્ચે વર્લ્ડકપ બાદ સંન્યાસને લઇને કોઇ વાત થઇ નહતી. એમને કહ્યું, 'અમે એનું ધ્યાન હટાવવા ઇચ્છતા નહતા. અમે ઇચ્છતા હતા કે ધઓની વર્લ્ડકપમાં પોતાનું સમગ્ર ધ્યાન લગાવે. પરંતુ હવે સમય આવી ગયો છે કે એને કોઇ નિર્ણય લઇ લેવો જોઇએ.' એમને કહ્યું કે ધોનીની પાસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રાપ્ત કરવા હવે કઇ બચ્યું નથી. એને જે પણ મેળવવાનું હતું એ મેળવી લીધું, એટલા માટે એને નવા ખેલાડીઓને તક આપવી જોઇએ.