ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ હર ઘર તિરંગા અભિયાનમાં સામેલ થયા છે. એમએસ ધોનીએ સોશિયલ મીડિયામાં તેમનો પ્રોફાઈલ ફોટો બદલ્યો છે અને હવે તિરંગો લગાવ્યો છે.
મહેન્દ્ર સિંહ ધોની પણ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયા
એમએસ ધોની કે જે સોશિયલ મીડિયામાં ખૂબ ઓછા સક્રિય રહે છે, આ ખાસ પ્રસંગે જ્યારે તેમણે ફોટો બદલ્યો તો હવે તેે ખૂબ વાયરલ થયુ છે. દેશ પોતાની આઝાદીના 75 વર્ષ પૂરા કરી રહ્યું છે અને આ પ્રસંગે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. ભારત સરકારની અપીલ પર હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને જે હેઠળ દેશવાસીઓ સોશિયલ મીડિયામાં પોતાની પ્રોફાઈલ ફોટો પર પણ તિરંગાની તસ્વીર લગાવી રહ્યાં છે. જે ક્રમમાં હવે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનુ નામ પણ જોડાઈ ગયુ છે.
ઈન્સ્ટાગ્રામમાં તેમની પ્રોફાઈલ ફોટો બદલી
એમએસ ધોનીએ શુક્રવારે ઈન્સ્ટાગ્રામમાં તેની પ્રોફાઈલ ફોટો બદલી અને તેના તિરંગાની ફોટો લગાવી. આ તસ્વીર પર એક ખાસ સંદેશ પણ લખવામાં આવ્યો છે, ભાગ્ય હૈ મેરા મેં એક ભારતીય હૂં. ઉલ્લેખનીય છે કે મહેન્દ્ર સિંહ સોશિયલ મીડિયામાં છે, પરંતુ તેઓ ખૂબ ઓછા સક્રિય રહે છે. ફેસબુક, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર મહેન્દ્ર સિંહ ધોની લાંબા સમયથી કોઈ પોસ્ટ કરતા નથી. પરંતુ હર ઘર તિરંગાના ખાસ અભિયાનમાં તેમણે ભાગ લીધો અને તેઓ છવાઈ ગયા.