પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને લઇને અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો થયો છે. ચર્ચા છે કે વર્લ્ડ કપ દરમિયાન ધોની ઇજાગ્રસ્ત શરીરથી સમગ્ર ટૂર્મામેન્ટ રમતો રહ્યો. એની પીઠમાં ઇજા થઇ હતી, જે મેચ બાદ મેચમાં વધતી ગઇ. એની સાથે જ વર્લ્ડકપમાં એના કાંડામાં પણ ઇજા પહોંચી હતી.
એમએસ ધોની દુનિયાથી આ દર્દ છુપાવીને વર્લ્ડ કપ રમતો રહ્યો હતો
વર્લ્ડ કપ દરમિયાન ધોની ઇજાગ્રસ્ત શરીરથી સમગ્ર ટૂર્મામેન્ટ રમતો રહ્યો
ટી 20 ઇન્ટરનેશનલ સીરિઝમાં ધોની ટીમમાં વાપસી કરી શકે છે
પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને લઇને અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો થયો છે. સતત ચર્ચાઓમાં રહેતો ધોની છેલ્લા કેટલાક સમયથી રજાઓ માણી રહ્યો છે. વર્લ્ડકપમાં ખરાબ મેચ અને સેમીફાઇનલમાં હારીને ભારત બહાર થઇ ગયા બાદ માહીના સંન્યાસના સમાચાર પણ જોરદાર વાયરલ થઇ રહ્યા છે.
અંદાજો લગાવવામાં આવી રહ્યો છે હતો કે ટીમ ઇન્ડિયાનો સૌથી સફળ કેપ્ટન હવે પોતાનું બેટ અને વિકેટકીપિંગ ક્યારે ગ્લોવ્સ મૂકશે. આ રાજકુમાર હાલ ખુદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. એ બાંગ્લાદેશની વિરુદ્ધ ટી 20 સીરિધમાં પણ નહીં રમે. એને પોતાનો બ્રેક નવેમ્બર સુધી વધારી દીધો છે. આ ક્રમમાં એને લઇને વધતી જતી શંકા વધારે ગાઢ થઇ રહી છે.
મીડિયામાં છપાયેલા એક રિપોર્ટ અુસાર બીસીસીઆઇ સૂત્રોના હવાલાથી વર્લ્ડકપમાં ધોનીના બેટની ખામોશીનું કારણ પણ જાણ થઇ ગઇ છે. ચર્ચા છે કે વર્લ્ડ કપ દરમિયાન ધોની ઇજાગ્રસ્ત શરીરથી સમગ્ર ટૂર્મામેન્ટ રમતો રહ્યો. એની પીઠમાં ઇજા થઇ હતી, જે મેચ બાદ મેચમાં વધતી ગઇ. એની સાથે જ વર્લ્ડકપમાં એના કાંડામાં પણ ઇજા પહોંચી હતી.
માનવામાં આવી રહ્યું છે કે આ ઇજાના કારણે એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. ધોનીએ પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ જુલાઇમાં વર્લ્ડકપ સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ રમી હતી. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ દરમિયાન પહોંચેલી ઇજાને કારણે જ ધોની ક્રિકેટથી દૂર છે. ધોની વર્લ્ડકપ બાદ ભારતીય ટીમની સાથે વેસ્ટઇન્ડિઝ પ્રવાસે પણ નહતો ગયો. એની જગ્યાએ એ સેના સાથે ટ્રેનિંગમાં વ્યસ્ત રહ્યો.
ધોની ત્યારબાદ એ સાઉથ આફ્રિકાની વિરુદ્ધ તાજેતરમાં સમાપ્ત થયેલી ટી 20 સીરિઝમાં પણ રમ્યો નહતો. હવે માહિતી છે કે ડિસેમ્બરમાં જ્યારે વેસ્ટઇન્ડિઝની ટીમ ભારતનો પ્રવાસ કરશે ત્યારે ટી 20 ઇન્ટરનેશનલ સીરિઝમાં ધોની ટીમમાં વાપસી કરી શકે છે. કદાચ એના કરિયરની છેલ્લી સીરિઝ પણ હોય.