વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે હાર બાદ ભારતનું ટુર્નામેન્ટથી બહાર નીકળી ગયા પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મહેન્દ્ર સિંહ ધોનીના ભવિષ્ય પર ચાલી રહેલી ચર્ચા પૂર્ણ થવાનું નામ જ નથી લઇ રહી.
ઋષભ પંતની કરાઇ છે પસંદગી
ઉલ્લેખનીય છે કે, મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે વેસ્ટઇન્ડીઝ પ્રવાસ માટે વિકેટકીપર તરીકે ઋષભ પંતને ત્રણેય સ્વરૂપો માટે ભારતીય ટીમમાં શામેલ કર્યો છે. કારણ કે અનુભવી વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીએ આગામી બે મહિના સુધી ક્રિકેટમાંથી બ્રેક લેવાનું નક્કી કર્યું છે.
ધોનીના આ પ્રવાસમાં ન જવાના નિર્ણય પછી લોકોએ તેમના સંન્યાસની વાતો શરુ કરી છે, પરંતુ સૂત્રોનું કહેવું છે કે પંતને ટી -20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ટીમમાં પસંદગી કરવામાં આવી છે. જોકે ટીમ મેનેજમેન્ટ પણ ઈચ્છે છે કે ધોની આ દરમિયાન સન્યાસ લઇ લે.
તો ટીમ ઇન્ડિયાના પડી શકે છે મુશ્કેલી
સમાચાર એજન્સીના રિપોર્ટ મુજબ, એમ.એસ ધોનીને આગામી ટી-20 વર્લ્ડ કપ સુધી સન્યાસ માટે રોકવામાં આવ્યો છે. એજન્સીના કહ્યા અનુસાર ટીમ ઇન્ડિયા ઇચ્છે છે કે ધોની વર્લ્ડ ટી-20 સુધી સન્યાસ ન લે કારણ કે જો આ દરમિયાન ઋષમ પંત ઘાયલ થાય છે તો પછી વર્લ્ડ કપના પ્રમાણે ટીમ ઇન્ડિયાને મુશ્કેલી પડી શકે છે.
પંત ઇજાગ્રસ્ત થાય તો વિકલ્પ કોણ?
ટીમ ઇન્ડિયાના એક અધિકારીએ સમાચાર એજન્સી સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, 'જો પંત ઇજાગ્રસ્ત થાય તો કોણ છે તેનો વિકલ્પ ? સાચું કહું તો બીજી બાજુ અમારી પાસે જેટલા પણ નામ છે તેમાંના કોઈ પણ ધોનીની મુકાબલા કરવા યોગ્ય નથી.