રવિન્દ્ર જાડેજા ટીમ ઇન્ડિયાનો મહત્વનો ખેલાડી છે. ડાબોડી ઑલરાઉન્ડર રમતના મેદાનની બહાર તેની જિંદાદિલીથી ઓળખાય છે. રવિન્દ્ર જાડેજાને અવારનવાર 'સર' થી સંબોધિત કરવામાં આવશે પણ તેને ઉપાધિ બિલ્કુલ પસંદ નથી.
રવિન્દ્ર જાડેજાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ કે, ''વાસ્તવમાં માહી ( મહેન્દ્ર સિંહ ધોની) ભાઇએ 3-4 વર્ષ પહેલા ટ્વીટ કરીને કહ્યુ કે, અને ત્યારથી મારી સાથે સર જોડાઇ ગયુ છે. જો તમે મને અંગત રીતે પૂછો તો મને આ ટાઇટલથી નફરત છે. હું સાચેમાં તેને નાસપંદ કરું છું. હું હમેશા લોકોને કહુ છું કે, મને મારા નામથી બોલાવે, પછી તે જડ્ડૂ હોય કે પછી જાડેજા.''
રવિન્દ્ર જાડેજાએ પણ જણાવ્યુ છે કે, ટીમના ઘણા ખેલાડીઓ ખૂબ જ મજાક કરે છે. વિરાટ કોહલી તે પૈકીનો એક છે તે બીજા લોકોની મિમિક સારી રીતે કરે છે. ક્રિકેટે મને ઘણું શીખવાડ્યુ છે.આ રમતને કારણે જ તે ઘણા અલગ-અલગ લોકોને મળ્યો અને ઘણુ શીખ્યુ છું. ગુજરાતના જામનગરથી આવીને દુનિયા પર છવાઇ જનારા જાડેજાએ કહ્યુ કે, તેને આ પ્રકારનું એક્સપોઝર ક્રિકેટના કારણે જ મળી શક્યુ છે.
2012 માં જાડેજા IPL ની હરાજીમાં સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો, ત્યારે તેણે 2 મિલિયન અમેરિકન ડૉલર ખરીદવામા આવ્યો હતો. રવિન્દ્ર જાડેજાએ કહ્યુ કે, ''આને કારણે મારી આર્થિક સ્થિતિ ઘણી સારી થઇ આ મારી જિંદગીનો ખૂબ જ મહત્વનો ભાગ છે.''