ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંબ ધોની મેચ સિવાય ગ્લવ્સ પહેરવાને કારણે ચર્ચામાં છે. વાસ્તવમાં ધોનીએ મેચ દરમિયાન જે વિકેટકીપિંગ ગ્લવ્સ પહેર્યા હતા તેમાં એક એવુ ચિહ્ન હતુ જેના કારણે તે ચર્ચામાં આવી ગયો છે.
તમને જણાવી દઇએ કે, ગ્લવ્સમાં જે ચિહ્ન દેખાય છે તેણે 'બલિદાન બેજ' ના નામથી ઓળખવામાં આવે છે. જાણીએ શું છે બલિદાન બેજ અને તેનો ઉપયોગ કોણ કરી શકે છે અને કેમ તેનો ઉપયોગ ધોનીએ કર્યો, તથા તેના નિયમો વિશે..
શું છે બલિદાન બેજ:
બલિદાન બેજનું ચિહ્ન સ્પેશલ ફોર્સ ઇન્ડિયન આર્મીની પૈરાશૂટ રેઝિમેન્ટનો ભાગ છે.આ ભારતની પૈરા ( સ્પેશલ ફોર્સ)ના પ્રતિકનું ચિહ્ન છે. આ માટે ભારતીય સેનામાં આ બેજ પૈરા-કમાન્ડો લગાવે છે. તમને જણાવી દઇએ કે, પૈરા કમાન્ડોના વિશેષ રિઝમેન્ટના પોતાના બેજ હોય છે, જેને બલિદાન બેજ કહેવામાં આવે છે.
કેવુ હોય છે આ બલિદાન બેજ:
બલિદાન બેજ ચાંદીની ધાતુથી બનેલુ હોય છે. જેમાં દેવનાગરી લિપિથી 'બલિદાન' લખ્યુ હોય છે. આ બેજ માત્ર પૈરા કમાન્ડો દ્વારા પહેરવામાં આવે છે.
ધોનીએ કેમ કર્યો આ બલિદાન બેજનો ઉપયોગ:
સૌથી પહેલા તમને જણાવી દઇએ કે, મહેન્દ્ર સિંહ ધોનીએ બલિદાન બેજ પહેરવાની અનુમતિ છે. વાસ્તવમાં ધોની પૈરાટ્રૂપરની ટ્રેનિંગ લઇ ચૂક્યો છે. ધોનીએ 2011માં પ્રાદેશિક સેનાના લેફ્ટિનેન્ટ કર્નલની રેન્ક આપવામાં આવી છે, જોકે આ પહેલા સન્માન પૂર્વ ક્રિકેટર કપિલ દેવને આપવામાં આવ્યુ હતુ.
કેવી રીતે પહેરી શકાય છે બલિદાન બેજ:
જ્યાં ધોનીના ગ્લવ્સ પર બલિદાન બેજ ચિહ્નનો ઉપયોગ કર્યો છે, તેણે સેનાની તરફથી મળતી જાણકારી અનુસાર, આ ચિહ્નને છાતી પર પહેરવામાં આવી છે. જે ભારતની પૈરા (સ્પેશલ ફોર્સ)ના પ્રતિક ચિહ્ન દર્શાવે છે. પૈરા કમાન્ડો સ્પેશલ ફોર્સ મરૂન રંગની કેપ પહેરે છે, તેમના ખભા પર PARA રેઝિમેન્ટ સિમ્બોલ હોય છે.
જાણો પૈરા સ્પેશલ ફોર્સ વિશે:
પૈરા સ્પેશલ ફોર્સ ભારતના સ્પેશલ ફોર્સેસમાંથી એક છે. આ દ્ઘિતીય વિશ્વ યુદ્ઘ દરમિયાન અસિસત્વમાં આવ્યુ હતુ. ઓક્ટોબર 1941માં 50મી પૈરાશૂટ બ્રિગેડની સાથે તેનું નિર્માણ થયુ હતુ. પૈરા કમાન્ડોઝ બંધક બચાવ (હોસ્ટેજ રેસ્ક્યૂ), આંતકવાદ નિરોધ (કાઉન્ટર ટેરિઝ્મ), વ્યકિગત બચાવ (પર્સનલ રિકવરી) માટે કામ કરે છે, તેમના દ્વારા કરવામાં આવેલા પ્રમુખ ઑપરેશનમાં 1971 અને 1999નું પાકિસ્તાન યુદ્ઘ છે, આ સાથે જ 1984માં ઑપરેશન બ્લૂ સ્ટારનો પણ ભાગ રહ્યા છે.
ICCએ કર્યો બલિદાન બેજ હટાવવાનો આદેશ:
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ના વિકેટકીપિંગ ગ્લવ્સથી બલિદાન બેજ હટાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ પાછળનુ કારણ આપતા ICCએ કહ્યુ કે, ''વિકેટકીપિંગ ગ્લવ્સ પર અનુમતિથી વધારે લોગો ના લગાવી શકાય.''