દુનિયાભરમાં કોરોના વાયરસને કારણે હજારો લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. ભારતમાં આ રોગચાળાથી સંક્રમિત લોકોની સંખ્યા 600ને વટાવી ગઈ છે. આ સંકટને પહોંચી વળવા મદદ કરવા માટે દેશ-વિદેશમાં અનેક હસ્તીઓ આગળ આવી રહી છે. જોકે હજી સુધી ભારતીય ટીમના કોઈપણ સ્ટાર્સે સહાયની કોઈ ઓફર કરી નથી, પરંતુ પૂર્વ બેટ્સમેન સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલી પીડિતોને મદદ કરવા માટે આગળ આવ્યા છે. આવામાં ધોનીએ પણ 1 લાખ રૂપિયાનું દાન કર્યુ તેવા સમાચાર વહેતા થતાં હોબાળો થયો હતો. આખરે પત્ની સાક્ષીએ સામે આવી ખુલાસો કર્યો હતો.
કોરોનાના કહેરથી પીડિત લોકોની મદદ માટે આગળ આવ્યા ક્રિકેટર
અનેક દિગ્ગજ હસ્તીઓ અને ક્રિકેટરો કરી રહ્યાં છે દાન
કોરોના વાયરસને કારણે હાલ બધું જ ઠપ થઈ ગયું છે, જેની સીધી અસર દૈનિક વેતન પર કામ કરતા મજૂર અને તેમના પરિવારો પર પડી રહી છે. દેશમાં સૌથી વધુ 120 કેસ મહારાષ્ટ્ર, ખાસ કરીને મુંબઇ અને પૂણેથી નોંધાયા છે. આવી સ્થિતિમાં મહેન્દ્રસિંહ ધોની (ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન)એ પુણેના દૈનિક વેતન પર કામ કરતા મજૂરો માટે એક લાખ રૂપિયા દાનમાં આપ્યા હોવાના સમાચાર વહેતા થયા હતાં. જેના પગલે ધોનીની આ આર્થિક મદદથી સોશિયલ મીડિયા પર તેના ફેન્સ ભારે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ફેન્સે કહ્યું કે, વાર્ષિક 800 કરોડ રૂપિયાની કમાણી કરનાર ધોનીએ માત્ર એક લાખ રૂપિયાની મદદ કરી એ ખૂબ જ દુઃખદ છે. જ્યારે સચિન તેંડુલકરે મહારાષ્ટ્ર સરકાર અને વડાપ્રધાનના રિલીફ ફંડમાં 25-25 લાખ રૂપિયા દાનમાં આપ્યા છે. જો કે આ સમાચારે વેગ પકડતાં ધોનીની પત્ની સાક્ષીએ ટ્વિટર દ્વારા ખુલાસો કરવો પડ્યો હતો કે આ સમાચાર ખોટાં છે.
I am a dhoni tard but if he has donated 1 lakh only . I am the first one to be very sad about this. https://t.co/nFkqennP8A
"હું બધા મીડિયા હાઉસને વિનંતી કરું છું કે આવા સંવેદનશીલ સમયે ખોટા સમાચાર આપવાનું બંધ કરે! તમને શરમ આવી જોઈએ ! મને આશ્ચર્ય થાય છે કે જવાબદાર પત્રકારત્વ ક્યાં ગાયબ થઈ ગયું છે!
રાશનની વસ્તુઓ આપવામાં આવશે
મહેન્દ્રસિંહ ધોનીએ આ રકમ મુકુલ માધવ ફાઉન્ડેશન પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટને ક્રાઉડ ફંડિંગ વેબસાઇટ દ્વારા દાનમાં આપી છે. આ રકમનો ઉપયોગ પૂણેના રોજિંદા વેતન મજૂરના પરિવારોને રાશનની વસ્તુઓ આપવા માટે કરવામાં આવશે. ધોનીની પત્ની સાક્ષીએ આ લિંકને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. ધોનીની પહેલ બાદ વધુ ઘણાં લોકો મદદ માટે આગળ આવ્યા છે અને અત્યાર સુધીમાં 12 લાખ રૂપિયાનું ફંડ ભેગું કરવામાં આવ્યું છે.
ધોનીએ પુણેના દૈનિક વેતન મજૂરો માટે કેમ દાન આપ્યું છે, આ સવાલ લોકોના મનમાં પણ ઉભો થઈ રહ્યો છે. હકીકતમાં ધોની 2016 અને 2017 માં આઈપીએલની બે સીઝન માટે રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સનો ભાગ રહી ચૂક્યો છે. ત્યારબાદ બે વર્ષ સુધી ચેન્નાઈ સુપર કિંગ્સ પર પ્રતિબંધ મૂકાયો હતો. 2016માં ધોનીએ પુણેની કેપ્ટન્સીની કમાન સંભાળી હતી, જ્યારે પછીની સીઝનમાં તે સ્ટીવ સ્મિથના નેતૃત્વમાં રમ્યો હતો.
સચિન તેંડુલકરે 50 લાખ રૂપિયા આપ્યા
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સચિન તેંડુલકર પણ કોરોના વાયરસ પીડિતોને મદદ કરવા આગળ આવ્યો છે. તેણે કુલ 50 લાખ રૂપિયા દાનમાં આપ્યા છે. તેમાંથી તેણે મહારાષ્ટ્ર માટે મુખ્યમંત્રી રાહત ભંડોળને 25 લાખ રૂપિયા, જ્યારે વડા પ્રધાન રાહત ભંડોળને 25 લાખ રૂપિયા આપ્યા છે. તમને જણાવી દઈએ કે, સૌરવ ગાંગુલી, ઇરફાન અને યુસુફ પઠાણ પણ જરૂરીયાતમંદોને માસ્ક વહેંચી ચૂક્યા છે.