ભારતીય ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની નવી ભૂમિકામાં ક્રિકેટમાં વાપસી કરી શકે છે. વર્લ્ડ કપમાં મળેલી હાર બાદ 38 વર્ષીય ધોની ટીમ ઈન્ડિયા માટે મેદાનમાં ઉતર્યો નથી.
મહેન્દ્ર સિંહ ક્રિકેટ મેદાનમાં પરત ફરશે
અતિથિ' કૉમૅન્ટેટોર તરીકે જોવા મળશે મેદાનમાં
સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા કરાયું આયોજન
જો કે, અહેવાલ છે કે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ મેચ દરમિયાન ધોની અણધારી ભૂમિકામાં ફરી શકે છે. કોલકાતામાં, વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ટીમ 22 નવેમ્બરથી પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ મેચ રમશે.
સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, પ્રસારણકર્તા સ્ટાર ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ધોનીને 'અતિથિ' કૉમૅન્ટેટોરના રૂપે લાવવાની યોજના બનાવી રહી છે. પિંકબોલની ટેસ્ટ માટે સ્ટાર દ્વારા BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીને પ્રસ્તાવિક એક યોજનાનો હવાલો આપતા કહ્યું કે, ખાનગી સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે, ટેસ્ટ મેચના પ્રથમ બે દિવસો માટે ભારતીય ટીમના તમામ પૂર્વ કપ્તાન પસંદગીની ક્ષણો તાજી કરે.
જો અહેવાલ સાચો છે અને ધોની નિમંત્રણનો સ્વીકાર કરે છે તો કેપ્ટન કૂલ કૉમૅન્ટેટોરની ભૂમિકામાં જોવા મળશે. અહેવાલ મુજબ, પ્લાનમાં આગળ લખવામાં આવ્યું છે કે ઇડન ગાર્ડન્સમાં ટેસ્ટ મેચના ત્રીજા દિવસે લંચ દરમિયાન 2001 માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ભારતની જીતનો જશ્ન મનાવવામાં આવશે.