CSK ફેન્સ આર્મી ટ્વીટર એકાઉન્ટ પરથી ટ્વીટ કરવામાં આવ્યું કે ધોની બાદ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ કોને મળે?
મહેન્દ્ર સિંહ ધોની બાદ કોણ હશે CSKનો કેપ્ટન?
જાડેજાના ટ્વીટથી મચ્યો હંગામો
સ્ક્રીનશોર્ટ સોશિયલ મીડિયા પર વાયરલ
મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ઘણી મોટી સફળતાઓ હાસેલ કરી છે. ધોનીએ CSKને ત્રણ વખત IPLની ટ્રોફી જીતાડી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે કદાચ આ IPL સીઝન બાદ મહેન્દ્ર સિંહ ધોની આ લીગથી વિદાઈ લઈ શકે છે. સોશિયલ મીડિયા પર તમામ અટકળો લગાવવામાં આવી રહી છે. કે ધોની બાદ CSKનું નેક્સ્ટ કેપ્ટન કોણ હશે? એવામાં CSKએ ઓલરાઉન્ડર રવિંન્દ્ર સિંહ જાડેજાના ટ્વીટે ટ્વીટર પર હંગામો મચાવી દીધો છે.
ફેન્સે પુછ્યું ધોની બાદ કોણ હશે કેપ્ટન?
હકીકતે CSK, ફેન્સ આર્મી ટ્વીટર એકાઉન્ટથી ટ્વીટ કરવામાં આવ્યું કે ધોની બાદ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ કોને મળશે? CSKના ફેને ટ્વિટર પર જ્યારે સવાલ કર્યો તો રવિન્દ્ર જાડેજાએ એવો જવાબ આપ્યો જેને લઈને સનસની મચી ગઈ.
જાડેજાના ટ્વીટથી મચ્યો હંગામો
CSK ફેન્સ આર્મીને સવાલ પુછવામાં આવ્યો કે ધોની બાદ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટનના રૂપમાં તમારી પસંદ કોણ હશે? તેના પર જવાબ આપતા રવિન્દ્ર જાડેજાએ '8' લખ્યો, હકીકતે આઠ જાડેજાના જર્સીનો નંબર છે. જાડેજાએ ઈનડાયરેક્ટ રીતે કહ્યું કે સીએસકેના હવેના કેપ્ટન એ હશે. તેને લઈને હવે ફેન્સ ખબૂ કમેન્ટ્સ કરવા લાગ્યા, તો જાડેજાએ પોતાનું ટ્વીટ ડિલિટ કરી દીધુ.
સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ
જાડેજાનો આ ટ્વીટનો સ્ક્રીનશોર્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજા આવનાર દિવસોમાં ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન બનવાના પ્રબળ દાવેદાર છે. સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજામાં એ દરેક ગુણ હાજર છે જેનાથી તે આવનાર દિવસોમાં ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ કરી શકે છે. શાનદાર બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં કરનાર રવિન્દ્ર જાડેજા સીએસકેમાં ધોનીનો ઉત્તરાધિકારી બનવા માટે સૌથી આગળ છે.