અફઘાનિસ્તાનને મંગળવારે એશિયા કપ વનડે ટૂર્નામેન્ટના સુપર 4 હરિફાઇમાં ભારતની વિરુદ્ધ ટોસ જીતીને બેટિંગનો નિર્ણય કર્યો. ભારતીય પ્રશંસકો માટે આ મેચમાં મહેન્દ્ર સિંહ ધોની ખુશખબરી લઇને આવ્યો છે.
ખુશખબરી એવી છે કે શરૂઆતમાં તો કોઇને આ માહિતી પર ભરોસો ના થયો પરંતુ આ સત્ય સાબિત થયું. ધોની અફઘાનિસ્તાન મેચમાં ટોસ માટે પહોંચ્યો અને સિક્કો ઉછાળતા જ એને વનડે માં પોતાની કેપ્ટની ડબલ સેન્ચુરી પૂરી કરી લીધી.
એશિયા કપના ફાઇનલમાં સ્થાન પાક્કુ કરી ચુકેલી ટીમ ઇન્ડિયાએ આ મેચમાં રોહિત શર્માને આરામ આપ્યો અને ધોનીને પોતાની 200મી વન ડેમાં કેપ્ટનની તક આપવામાં આવી.
37 વર્ષના ધોનીએ 696 દિવસો બાદ ટીમ ઇન્ડિયાની કેપ્ટનસી સંભાળી છે. 2017માં ધોનીએ કેપ્ટની છોડવાનો નિર્ણય કર્યો હતો અને ત્યારબાદથી જ વિરાટ કોહલીને પોતાની ઉત્તરાધિકારી બનાવવાનો રસ્તો બનાવ્યો.
આ મેચમાં ભારતીય ટીમમાં પાંચ ફેરફાર કર્યા. નિયમિત કેપ્ટન રોહિત શર્મા અને ઉપકેપ્ટન શિખર ધવન ભુવનેશ્વર કુમાર જસપ્રીત બુમરાહ અને યુજવેન્દ્ર ચહલને વિશ્રામ આપવામાં આવ્યો છે.