BCCIએ પોતાની નવી કોન્ટ્રેક્ટ લીસ્ટમાંથી મહેન્દ્ર સિંહ ધોનીને બહાર કાઢી દીધો છે. જેનાથી સાફ જાહેર થાય છે કે બોર્ડ હવે ધોનીનાં ભવિષ્ય માટે શું વિચારી રહ્યું છે. પરંતુ સુત્રોનું માનવું છે કે ધોની હજુ પણ આ લીસ્ટમાં સામેલ થઇ શકે છે. સુત્રોનું કહેવું છે કે ધોની વર્લ્ડ કપ બાદ ભારત માટે એક પણ મેચ રમી જ નથી જે બાદ આ નિર્ણય લેવાની ફરજ પડી છે.
સુત્રો અનુસાર બોર્ડનાં ઉચ્ચ અધિકારીઓએ ધોની સાથે પહેલાં જ કરી હતી વાત
જો T20 વર્લ્ડ કપ અથવા એ સિવાયની કોઈ મેચમાં ધોની સામેલ થાય તો હજુ રસ્તો બાકી
છેલ્લાં ઘણા સમયથી ધોનીએ એક પણ રમી નથી
વર્લ્ડ કપ બાદથી ધોની ક્રિકેટથી દૂર
સુત્રો અનુસાર પૂર્વ ભારતીય કેપ્ટનને ફરી આ લીસ્ટમાં સ્થાન મળી શકે છે. બીસીસીઆઈનાં સુત્રોનું માનવું છે કે બોર્ડનાં ઉચ્ચ અધિકારીએ ધોનીથી વાત કરી હતી અને ધોની બોર્ડનાં આ પગલાં વિશે સંપૂર્ણ માહિતી આપી હતી. આ વિષયમાં પૂર્વ કેપ્ટનને બધી જ માહિતી આપવામાં હતી કે બોર્ડ હવે ભવિષ્યમાં શું કામ કરવા જઈ રહ્યું છે ત્યારે ઘણા લોકો એમ પણ કહી રહ્યા છે કે વર્લ્ડ કપ બાદથી જ ધોની એક પણ મુકાબલો રમ્યા નથી એવામાં આ નિર્ણય કોઈ અચાનક જ લેવામાં આવ્યો નથી.
સુત્રોનું માનવું છે આ નિર્ણયથી ધોની કયા સ્તરનાં ખેલાડી છે તેના પર કોઈ સવાલ નથી. પરંતુ ધોની એક પણ મેચ રમ્યા જ નથી તો તેમને આ લીસ્ટમાં સ્થાન આપવામાં આવ્યું નથી.
પ્રો-રાટાનાં આધારે ધોનીને લીસ્ટમાં મળી શકે છે સ્થાન
કહેવાનો અર્થ છે કે જો માહી ઓક્ટોબરમાં થનાર T20 વર્લ્ડ કપ અથવા તેની પહેલાંની કોઈ સીરીઝમાં ટીમ ઈન્ડિયામાં સામેલ થઇ જાય અને મેદાનમાં ઉતરે તો પ્રો-રાટાનાં આધારે લીસ્ટમાં ફરી જગ્યા અપાઈ શકે છે. જોકે તેની સંભાવના ખુબ ઓછી છે.