એમ.એસ ધોનીનાં મોજા પર બલિદાન બેઝનાં નિશાનને લઇને BCCI અને ICC આમને-સામને આવી ગયાં છે. ત્યારે આઇસીસીએ ધોનીને પોતાનાં મોજા પરથી બલિદાન બેઝનું નિશાન હટાવવાનું કહ્યું હતું. જ્યાર બાદ બીસીસીઆઇ માહીનાં સમર્થનમાં આવ્યું છે.
એમ.એસ ધોનીનાં મોજા પર બલિદાન બેઝનાં નિશાનને લઇને BCCI અને ICC આમને-સામને આવી ગયાં છે. ત્યારે ICCએ ધોનીને પોતાનાં મોજા પરથી બલિદાન બેઝનું નિશાન હટાવવાનું કહ્યું હતું. જ્યાર બાદ BCCI માહીનાં સમર્થનમાં આવ્યું છે. BCCIનાં COA ચીફ વિનોદ રાયે કહ્યું કે, 'અમે ICCને એમએસ ધોનીને તેનાં મોજા પર 'બલિદાન' પહેરવા માટેની અનુમતિ લેતા પહેલા જ ચિઠ્ઠી લખી ચૂકેલ છે.'
That’s the regimental dagger insignia of the Indian Para Special Forces on Dhoni’s gloves: pic.twitter.com/YKoA5Az54o
ત્યાર બાદ ICC હવે BCCIની સામે ઝુકી શકે છે. ICC સૂત્રો અનુસાર, 'જો એમએસ ધોની અને BCCI ICCને એ સુનિશ્ચિત કરે કે 'બલિદાન બેઝ'માં કોઇ રાજનીતિક, ધાર્મિક અથવા નસ્લીય સંદેશ નથી, તો ICC આ અનુરોધ પર વિચાર કરી શકે છે.'
ICC Sources: If MS Dhoni and BCCI convince ICC that the "balidaan badge" does not have any political, religious, or racial message, ICC may consider the request pic.twitter.com/qRQDQwgr3j
આ પહેલાં BCCIનાં COA ચીફ વિનોદ રાયે કહ્યું હતું કે, 'અમે અમારા ખેલાડીઓની સાથે ઉભાં છીએ. ધોનીનાં મોજા પર જે નિશાન છે, તે કોઇ ધર્મનું પ્રતીક નથી અને ન તો માત્ર કોમર્શીયલ છે.' વિનોદ રાયે કહ્યું કે, 'અમે ICCને એમએસ ધોનીને તેનાં મોજા પર 'બલિદાન' પહેરવા માટે અનુમતિ લેવા માટે પહેલાં જ ચિઠ્ઠી લખી ચૂક્યાં છીએ.'
ઉલ્લેખનીય છે કે ટીમ ઇન્ડિયાનાં પૂર્વ કેપ્ટન અને વર્તમાન ટીમનાં વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોનીએ ICCએ મોટો ઝટકો આપ્યો. ત્યારે ICCએ ધોનીને પોતાનાં ગ્લવ્ઝથી 'બલિદાન બેઝ' નિશાન હટાવવા કહ્યું હતું. ધોનીએ પૈરા સ્પેશિયલ ફોર્સીસને સમ્માન આપવા માટે એક અનોખો રસ્તો અપનાવ્યો હતો. તેમણે સાઉથ આફ્રીકા વિરૂદ્ધ બુધવારે રમાયેલ મેચ દરમિયાન 'બલિદાન બેઝ'નાં નિશાનવાળાં ગ્લવ્સ પહેર્યા હતા જેને ICCએ ઉતારવાનો હુકમ કર્યો હતો.