ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેસ્ટમેન મહેન્દ્રસિંહ ધોનીના ગ્લવ્સનો વિવાદ વકર્યો છે. આઈસીસીએ ધોનીને આ ગ્લવ્સ સામે વિરોધ ઉઠાવ્યો હતો. તેના પર હવે બીસીસીઆઈએ ધોનીનો પક્ષ લઈને કંઈ ખોટું કર્યું ન હોવાની વાત કરી છે. ત્યારે હવે આ મામલે એક પત્રકારે ટ્વીટ કરીને આઈસીસીની બેવડી નીતિની વાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, આપણા દેશમાં ક્રિકેટનો કોઈ ધર્મ નથી, પરંતુ ક્રિકેટ ખુદ જ એક ધર્મ છે! વાત જ્યારે ક્રિકેટની રમતથી દેશભક્તિ સુધી પહોંચે છે, તો ભારતીય ફેન્સનાં જોશ આગળ કોઈ ટકી શકતુ નથી. પછી ભલે તે ક્રિકેટર્સને ભગવાનનો દરજ્જો આપવાની વાત હોય કે પછી સેનાનાં સમર્થનની, દેશવાસીઓ ઝનૂનની સાથે દર વખતે ઊભા રહે છે.
સાઉથ આફ્રિકા સામે ભારતે વર્લ્ડ કપ 2019ની પહેલી મેચ રમી જેમાં મહેન્દ્રસિંહ ધોનીએ બલિદાન બેઝ પહેર્યો હતો જેના કારણે વિવાદ થયો છે. આ વિવાદ પર પાકિસ્તાનનાં જ તારિક ફતેહે વાંધો બતાવ્યો છે. ફતેહે કહ્યું કે, જ્યારે પાકિસ્તાની ટીમ રમતનાં મેદાન પર નમાજ પઢે છે તો આઈસીસીને પરેશાની કેમ નથી થતી?
The @ICC has no problem with the entire Pakistan cricket team marking territory by praying on the cricket field, denigrating Christians and Jews (part of Muslim ritual prayer) but find insignia on @MSDhoni's gloves inappropriate. pic.twitter.com/8wwZYtnti2
પરંતુ જ્યારે કોઈ ખેલાડી પોતાના ગ્લવ્સ પર એક નિશાન લગાવી દે છે તો તેમને આનાથી કેમ સમસ્યા થઈ રહી છે? ઉલ્લેખનીય છે કે આઈસીસીએ મહેન્દ્ર સિંહ ધોનીનાં ગ્લવ્સ પર પેરા મિલિટ્રી ફૉર્સનાં બલિદાન બેઝનાં નિશાનને હટાવવાનો આદેશ કર્યો છે.
Pakistani players offered Namaz many times on ground then never get objection from ICC..
But MS Dhoni can't wear army insignia Gloves ??
Can we call you as ICC - Islamic Cricket Council ??#DhoniKeepTheGlovepic.twitter.com/HXSdjizM8D
ઉલ્લેખનીય છે કે ધોનના ગ્લવ્ઝને લઈને હાલ વિવાદ ચાલી રહ્યો હતો. ત્યારે આ પાકિસ્તાની પત્રકારે વિવાદમાં પેટ્રોલ નાંખવાનું કામ કર્યું છે. જયારે આ મામલે લોકોનું માનવું છે કે, મેદાન પર ખેલાડીઓ નમાઝ પઢી શકે છે તો પછી ધોનીનાં ગ્લવ્ઝ પર સેનાનાં બેઝનાં નિશાનને પહેરીને રમવામાં આઈસીસીને શું વાંધો છે? ફેન્સ આઈસીસીનાં આદેશને માનવા તૈયાર નથી અને હવે આને સેનાનાં સમ્માન સાથે જોડ્યું છે. અને દેશના લોકો હાલ આ મામલે સોશિયલ મીડિયા પર કેમ્પેઈન ચલાવી રહ્યા છે.