ખેડૂત આંદોલન વચ્ચે રાહુલ ગાંધીએ ફરી એકવાર કેન્દ્રની મોદી સરકારને ઘેરી હતી. પત્રકાર પરિષદને સંબોધન કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ખેડૂતો કાઇ દુશ્મનો નથી કે સરકાર કિલ્લે બંધી કરી રહી છે.
ખેડૂત આંદોલન પર બોલ્યા રાહુલ ગાંધી
સરકાર કિલ્લાબંધી કેમ કરે છે?
શું સરકાર ખેડૂતોથી ડરે છે?
રાહુલ ગાંધીએ કહ્યું કે સરકારનું ખાનગીકરણ કરીને કેટલાક લોકોમાં પૈસા વહેંચવામાં આવી રહ્યા છે. આ સમયે જરૂરીયાતમંદ લોકોના હાથમાં પૈસા આપવાની છે. જો સરકાર ન્યાય યોજનાનો અમલ કરશે તો અર્થવ્યવસ્થામાં સુધારો થશે પરંતુ સરકાર સપ્લાય ચેન તરફ ચુકવણી કરી રહી છે, તેનાથી સામાન્ય લોકોને ફાયદો થશે નહીં.
ચીન મુદ્દે મોદી સરકાર પ્રહાર
રાહુલ ગાંધીએ કહ્યું કે, ચીન હજારો કિલોમીટર સુધી ભારતમાં ધસી આવ્યું છે પરંતુ સરકારે બજેટને બચાવવા માટે કંઈ કર્યું નહીં. આને ચીનને સંદેશ આપ્યો કે ભારત તેના સંરક્ષણ ક્ષેત્ર માટે કંઇ કરી રહ્યું નથી. આ સૈનિકો વચ્ચે સંદેશ આપશે કે સરકાર માત્ર એક ટકા લોકોને પૈસા આપશે. રાહુલે કહ્યું કે અમારા સૈનિકો લદાખની ઠંડીમાં ઠુંઠવાઇ રહ્યા છે, પરંતુ બજેટમાં તેમના માટે કેટલાક કરોડ રૂપિયા એકત્ર કરવા સિવાય સરકાર કંઇ કરી રહી નથી.
મિસ્ટર મોદી,તમને જે કામ માટે પસંદ કર્યા છે તે કામ કરો: રાહુલ
રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ દરમિયાન એવું પણ જણાવ્યું હતું કે, મીસ્ટર મોદી, તમારી પસંદગી જે કામ માટે કરવામાં આવી છે તે કામ કરો. આ નિવેદનનો વીડિયો રાહુલ ગાંધીના ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરવામાં આવ્યો હતો.
આ સાથે જ રાહુલે વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતોને ધમકાવવાનું કે મારવાનું કામ સરકારનું નથી, સરકારનું કામ ખેડૂતો સાથે વાતચીત કરવાનું છે. સરકારે વહેલી તકે આ મુદ્દાનો ઉકેલ લાવવો જોઇએ.
સરકાર તેના 4-5 મિત્રોના ફાયદા વિશે જ વિચારી રહી છે
ખેડુતોને આતંકવાદી કહેવાને લગતા એક સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે દેશના 60 ટકા ખેડૂત બધા આતંકવાદી છે અને ફક્ત આરએસએસના લોકો જ ઠીક છે. સરકાર તેના 4-5 મિત્રોના ફાયદા વિશે જ વિચારી રહી છે.
મોટાભાગના તાનાશાહના નામ અંગ્રેજી એમ અક્ષરથી શરૂ થતા હોવાની કરી વાત
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શાનમાં ને શાનમાં મોદી સરકાર પર કટાક્ષ કર્યો. રાહુલે ટ્વિટર પર સવાલ કર્યો કે દુનિયાના મોટાભાગના તાનાશાહના નામ અંગ્રેજી એમ પરથી શા માટે શરુ થાય છે.
રાહુલે ટ્વિટ કરીને જણાવ્યું કે કેમ દુનિયાના મોટાભાગના તાનાશાહના નામ અંગ્રેજી એમ અક્ષર પરથી શરુ થાય છે. માર્કોસ, મુસોલિની, મિલોસેવિક, મુબારક, મુશરફ, મિકોમ્બેરો વગેરે.
રાહુલ ગાંધીએ જણાવ્યું કે ચીન ભારતીય સરહદમાં દાખલ થઈને આપણી જમીન છીનવી લે છે. તમે તેમને શું સંદેશ આપ્યો ? એજ કે અમે અમારુ સંરક્ષણ બજેટ વધારવાના નથી. તમે સંરક્ષણ બજેટમાં 3000 થી 4000 કરોડનો વધારો કર્યો. તમે શું સંદેશ આપ્યો. એ જ કે તમે ભારતમાં દાખલ થઈ શકો છો અને તમારે જે કરવુ હોય તે કરી શકો છો.