ચીન સાથે ચાલી રહેલા સરહદીય વિવાદની વચ્ચે વડાપ્રધાન મોદી પર ઉગ્ર પ્રહાર કરતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર રાષ્ટ્રને નબળી પાડનાર નીતિઓ લાગુ પાડવાનો આરોપ મૂક્યો.
કેન્દ્ર સરકારની નબળી નીતિઓને કારણે ચીનને ભારતીય વિસ્તારમાં વિસ્તાર કરવાની તક મળી
મોદીએ આપણા ખેડૂતો, મજૂરો, કામદારોનું રક્ષણ કર્યું હોત તો આપણી જમીન આંચકવાની ચીનમાં હિંમત ન હોત.
રાહુલે કહ્યું કે મજબત ઈકોનોમી, યુવાનોને રોજગારી અને સામાજિક સંવાદિતા ભારતની તાકાત છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે કેન્દ્ર સરકારની નબળી નીતિઓને કારણે ચીનને ભારતીય વિસ્તારમાં વિસ્તાર કરવાની તક મળી છે. રાહુલે કહ્યું કે ચીન ભારતીય વિસ્તારમાં પગપેસારો કરી રહ્યો છે તેમ છતાં પણ મિ.56 એ મહિના સુધી ચીન પર એક હરફ સુદ્ધા ઉચ્ચાર્યો નથી. કદાચ તેઓ ચીન શબ્દ બોલવાનું શરૃ કરી શકે છે.
ચીન સાથેના સરહદીય વિવાદના ઉકેલની ઓફર કરતા ગાંધીએ તમિલનાડુમાં પોતાના ભાષણની એક વીડિયો ક્લીપ પણ શેર કરી હતી. રાહુલે કહ્યું કે મજબત ઈકોનોમી, યુવાનોને રોજગારી અને સામાજિક સંવાદિતા ભારતની તાકાત છે. પોતાના મુઠ્ઠીભર અમીર મિત્રોને મદદ કરીને દેશને ખોખલો કરવાને બદલે વડાપ્રધાન મોદીએ આપણા ખેડૂતો, મજૂરો, કામદારોનું રક્ષણ કર્યું હોત તો આપણી જમીન આંચકવાની ચીનમાં હિંમત ન હોત. રાહુલ ગાંધીની આ ટીપ્પણી એવે સમયે આવી છે કે જ્યારે સિ્ક્કીમમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે એક નાની ઝપાઝપી થઈ છે.ગત અઠવાડિયે આ ઝપાઝપી થઈ હોવાનું આર્મીએ જણાવ્યું છે. ચીન અને ભારત વચ્ચે નવમા રાઉન્ડની મંત્રણા થઈ છે.
ભારતનો લઘુ અને મધ્યમ ઉદ્યોગ મજબૂત હોત તો ચીનાઓ ભારતીય કારમાં ફરતા હોત
પીએમ મોદીની આત્મનિર્ભર ભારત ઝૂંબેશ પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે જો ભારતનો લઘુ અને મધ્યમ ઉદ્યોગ મજબૂત હોત તો ચીનાઓ ભારતીય કારમાં ચલાવતા હોત કે ભારતીય વિમાનમાં ઉડતા હોત. આવું શા માટે નથી થઈ રહ્યું..... કારણ કે કેટલાક મુઠ્ઠીભર પૂંજીવાદીઓને કારણે. સરકાર ઈન્ડીયન આર્મી, નેવી અને એરફોર્સનો ઉપયોગ સરહદના રક્ષણ માટે કરી રહી છે પરંતુ જો આપણે આપણા મજૂરો, ખેડૂતો અને કામકારોનો ઉપયોગ કરીએ તો પછી આપણને લશ્કરની જરૃર નથી. તો પછી ચીન ભારતીય વિસ્તારમાં પગપેસારો કરવાની હિંમત ન કરેત.