પાકિસ્તાનની મુત્તહિદા કોમી મૂવમેન્ટ (MQM)ના સંસ્થાપક અને હાલમાં જ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનને PoK ના મુદ્દે ચેલેન્જ કરનાર અલ્તાફ હુસેને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે મદદ માગી છે. અલ્તાફ હુસેને PM મોદી પાસે પોતાને તેમજ તેમના સહયોગીઓને ભારતમાં શરણ આપવા અપીલ કરી છે.
લંડનમાં દેશ નિકાલ જીવન પસાર કરે છે અલ્તાફ
પાકિસ્તાનની મત્તહિદા કોમી મૂવમેન્ટના સંસ્થાપક છે
શરણ નહીં તો આર્થિક મદદ કરી અપીલ
MQMના સંસ્થાપક અલ્તાફ હુસેને PM મોદી પાસે ભારતમાં શરણ ન મળે તો થોડી આર્થિક મદદ કરવા અપીલ કરી છે. હુસેને કહ્યું કે જેને લઇને પોતાના મુદ્દાને આંતરરાષ્ટ્રીય કોર્ટ સુધી લઇ જઇ શકે. અલ્તાફ હાલ લંડનમાં દેશનિકાલ જીવન પસાર કરી રહ્યાં છે. 67 વર્ષીય પાકિસ્તાનના નેતાએ વચન આપ્યું છે કે તેઓ રાજકીય કોઇપણ પ્રકારની દખલ કરશે નહીં.
અલ્તાફ હુસેને ગત અઠવાડિયે સોશિયલ મીડિયા પર પોતાના એક વીડિયોમાં અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકાર્યો હતો. પોતાના ભાષણમાં અલ્તાફે જણાવ્યું હતું કે જો PM મોદી તેમને મંજૂરી અને સહયોગ સાથે શરણ આપે છે તો તેઓ ભારત જવા તૈયાર છે, કારણ કે અહીં તેમના દાદા, દાદીને દફનાવામાં આવ્યાં હતા.
લંડન કોર્ટે આરોપ નક્કી કર્યો છે
અલ્તાફ પર 2016માં લંડનથી પાકિસ્તાનમાં હાજર પોતાના સમર્થકોને હિંસા અને આતંકવાદ માટે ભડકાવાનો આરોપ છે. આતંકવાદ સાથે જોડાયેલ આ મામલે 10 ઓક્ટોબરના રોજ લંડનના ક્રાઉન પ્રૉસિક્યૂશન સર્વિસેઝને તેના વિરુધ્ધ આરોપ નકકી કર્યા હતા. અલ્તાફ વિરુધ્ધ આ મામલે 20 જૂન 2020માં કેસ ચાલશે.
ઇમરાન ખાનને કરી હતી ચેલેન્જ
આ વર્ષના સપ્ટેમ્બર મહિનામાં અલ્તાફ હુસેનનો એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો હતો. જેમાં 'સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા' ગાતા જોવા મળ્યાં હતા. એટલું જ નહીં ધારા 370 પર અલ્તાફે ભારતનું સમર્થન કરતાં ઇમરાન ખાનને ચેલેન્જ કર્યુ હતું કે હિંમત હોય તો પાકિસ્તાન PoK ને પોતાનામાં ભેળવીને બતાવે.