મનસુખ માંડવિયાને દેશના સ્વાસ્થય મંત્રી તરીકેની સૌથી મોટી જવાબદારી અપાઈ ચૂકી, ડૉ.હર્ષવર્ધનની જગ્યાએ હવે દેશના નવા સ્વાસ્થય મંત્રી તરીકે કામગીરી ગુજરાતીના માથે સોંપાઈ
સાયન્સ અને ટેકનોલોજી પર PM મોદી પોતે નજર રાખશે
મનસુખ માંડવિયાને સ્વાસ્થ્ય મંત્રાલયની મોટી જવાબદારી
સ્મૃતિ ઇરાનીને મહિલા બાલ વિકાસ મંત્રાલય
ગુજરાતમાંથી નવા ત્રણ સાંસદોને કેબિનેટમાં સ્થાન અપાયું છે. તો તેની સાથે મનસુખ માંડવિયાને દેશના સ્વાસ્થય મંત્રી તરીકેની સૌથી મોટી જવાબદારી અપાઈ ચૂકી છે. ડૉ.હર્ષવર્ધનની જગ્યાએ હવે દેશના નવા સ્વાસ્થય મંત્રી તરીકે કામગીરી ગુજરાતીના માથે સોંપાઈ છે. દેશમાં સંભવિત ત્રીજી લહેર અગાઉ મનસુખ માંડવિયાને મોટી જવાબદારી આપી છે. તો આ સાથે પરસોત્તમ રૂપાલાને પણ મહત્વની જવાબદારી આપી છે. પરસોત્તમ રૂપાલાને પણ કેબિનેટમાં સ્થાન આપી ડેરી અને મસ્ત્ય વિભાગની જવાબદારી સોંપાઈ છે.
દર્શના જરદોશને ટેક્સટાઇલ અને રેલવે મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા
મોદી સરકારમાં ગુજરાતના બે નેતાઓ મનસુખ માંડવિયા અને પુરુષોતમ રુપાલાને પ્રમોશન આપીને તેમને કેબિનેટ મંત્રી બનાવાયા છે. આ બંને નેતાઓ પાટીદાર ચહેરો પણ છે. પાટીદારોના નેતાઓનું વધુ એક વરચસ્વ કેન્દ્રમાં સ્થાપિત થયું છે. મહત્વનું છે કે, ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા પાટીદાર સી.એમ તો નહીં. પરંતુ નારાજ પાટીદારો માટે કેન્દ્રમાં પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાનું કદ વધારી દેવાયું છે. આ સાથે રસપ્રદ વાત એપણ છે કે, પરસોત્તમ રૂપાલા એ કડવા પાટીદાર સમાજમાંથી આવે છે. જ્યારે મનસુખ માંડવિયા લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે. આમ પાટીદારોના બંને ઘડાને સમાન નેતૃત્વ પણ અપાયું છે.
નવા શિક્ષણ મંત્રી તરીકે ધર્મેન્દ્ર પ્રધાન
અશ્વિની વૈષ્ણવને રેલવ મંત્રીની જવાબદારી
હરદીપ પૂરીને નવા પેટ્રોલિયમ મિનિસ્ટર બનાવ્યા
કિરણ રિજિજૂને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન
અનુરાગ ઠાકુરને ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મંત્રાલય
જ્યોતિરાદિત્ય સિંધિયાને નાગરિક ઉડ્ડયન મંત્રાલય
સ્મૃતિ ઈરાનીને મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
પિયુષ ગોયલને કાપડ મંત્રાલયનો હવાલો સોંપાયો
અશ્વની વૈષ્ણવને આઈટી કોમ્યુનિકેશન અને રેલવે પ્રધાનની જવાબદારી