ભાજપના સાંસદ રાજીવ પ્રતાપ રૂડીએ શુક્રવારે દિલ્હીથી લખનૌ જવા માટે વિમાન ઉડાવ્યું હતું. યોગી આદિત્યનાથના શપથ ગ્રહણમાં જઈ રહેલા અનેક મંત્રીઓ પણ ફ્લાઇટમાં હાજર રહ્યા હતા.
ઉત્તરપ્રદેશમાં ફરી એકવાર ભાજપે જબરદસ્ત વાપસી કરી છે. શુક્રવારે યોગી આદિત્યનાથે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેમની સાથે 2 નાયબ મુખ્યમંત્રી અને અન્ય 52 મંત્રીઓએ પણ મંત્રી પદના શપથ લીધા છે. પરંતુ આ વચ્ચે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અને સાંસદ રાજીવ પ્રતાપ રૂડીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ પાયલટના ડ્રેસમાં જોવા મળી રહ્યો છે.
જોકે, સાંસદ અને કેપ્ટન રાજીવ પ્રતાપ રૂડી શુક્રવારે ઈન્ડિગો-6-ઈ વિમાનના પાયલટ બનીને દિલ્હીથી લખનઉ જવા રવાના થયા હતા. આ પ્લેનમાં ભાજપના અનેક મોટા નેતાઓ સવાર હતા. જેઓ લખનઉમાં યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. રાજીવ પ્રતાપનો આ વીડિયો ખૂબ ચર્ચામાં છે.
વાયરલ વીડિયોમાં રાજીવ પ્રતાપ એવું કહેતા જોવા મળી રહ્યા છે કે એક ખાસ અવસર છે, યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ સમારોહમાં જઇ રહ્યા છીએ... તો પાર્લિયામેન્ટના તમામ સહયોગીઓનું, મંત્રીઓ અને બાકીના મુસાફરોને આજની આ વિશેષ યાત્રા માટે હાર્દિક અભિનંદન. જાણકારી અનુસાર ફ્લાઇટમાં સાક્ષી મહારાજ સહિત અનેક મંત્રીઓ હાજર હતા.
યોગી સરકારના મંત્રીમંડળની રચના
જણાવી દઈએ કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મર્જ કરીને 53 સભ્યોની કેબિનેટની રચના કરવામાં આવી છે. સીએમ યોગી આદિત્યનાથ ઉપરાંત 18 કેબિનેટ મંત્રી, 14 રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને 20 રાજ્યમંત્રીઓએ પણ રાજ્યપાલ આનંદીબેને શપથ અપાવ્યા હતા. યોગીએ મંત્રીમંડળમાં ઉચ્ચ જાતિઓની સાથે સાથે પછાત વર્ગોની અતિ પછાત જાતિઓને વિશેષ સ્થાન આપ્યું છે, જ્યારે મુસ્લિમો અને શીખોને પણ સ્થાન આપવામાં આવ્યું છે.
યોગી સરકારના 2.0 મંત્રીમંડળને જાતિગત સમીકરણની દ્રષ્ટિએ જોવામાં આવે તો યોગી આદિત્યનાથ સહિત 21 સવર્ણ સમાજને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે, તો 20 ઓબીસી જ્ઞાતિના નેતાઓને મંત્રી બનાવવામાં આવ્યા છે. આ સિવાય દલિત સમાજના 9 મંત્રી બનાવવામાં આવ્યા છે, તો એક મુસ્લિમ, એક શીખ અને એક પંજાબીને સ્થાન મળ્યું છે. આ ઉપરાંત યાદવ સમાજને પણ પ્રતિનિધિત્વ અપાયું છે.
दूसरी बार श्री @myogiadityanath जी के बतौर मुख्यमंत्री शपथग्रहण समारोह में शामिल होने अपने साथी सांसदों के साथ...