મધ્ય પ્રદેશની કમલનાથ સરકાર પર આવેલી આફત થોડાક સમય માટે ટળી હોય એવું લાગી રહ્યું છે. આજે ફ્લોર ટેસ્ટ થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી. પરંતુ હવે વિધાનસભાની કાર્યવાહીને 26 માર્ચ સુધી ટળી છે. રાજ્યપાલ લાલજી ટંડને પોતાના અભિભાષણમાં ધારાસભ્યોને નિયમોનું પાલન કરવાનું કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે 22 ધારાસભ્યોએ રાજીનામુ આપવાની વાત કરી છે. ત્યારથી કમલનાથ સરકાર પર સંકટ તોળાઈ રહ્યું છે.
મધ્ય પ્રદેશમાં રાજકીય સંકટ
26 માર્ચ સુધી વિધાનસભાની કાર્યવાહી સ્થગિત
રાજ્યપાલે વિધાનસભામાં ધારાસભ્યોને જવાબદારી નિભાવવની સલાહ આપી
Bhopal: Governor Lalji Tandon left shortly after Assembly proceedings began. He said, "All must follow the rules under the Constitution so that dignity of Madhya Pradesh remains protected." pic.twitter.com/07hJB556rJ
સવારે 8.30થી શરુ થયેલુ રાજકીય નાટક 11.20 સુધી કંઈક આ રીતે ચાલ્યું હતુ. સવારે સંસદીય કાર્યમંત્રી ગોવિંદ સિંહ સીએમ હાઉસ પહોંચ્યા. એ બાદ રાજ્યસભા સાંસદ વિવેક તન્ખા મુખ્યમંત્રી સાથે મુલાકાત કરવા પહોંચ્યા. એ પછી મુખ્યમંત્રી કમલનાથ વિધાનસભા જવા નીકળ્યા. તો વિધાનસભામાં ભજન વગાડવામાં આવી રહ્યા હતા. રાજ્યપાલ લાલજી ટંડન રાજભવનથી વિધાનસભા જવા નીકળ્યા. રાજ્યપાલ સંપૂર્ણ અભિભાષણ વાંચ્યાં વગર જતા રહ્યા. ભાષણ ખતમ કર્યા પછી રાજ્યપાલ ઉભા થયા તો અમુક ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર કરી હોબાળો કર્યો હતો. એ બાદ વિપક્ષના ગોપાલ ભાર્ગવે પ્રસ્તાવ વાંચવાનો શરૂ કર્યો હતો. જો કે હોબાળાના કારણે વિધાનસભાની કાર્યવાહી 10 મિનિટ સુધી રોકવામાં આવી હતી.
સવારથી કોઈ હલચલ નથી
રાજકીય પરિસ્થિતીને જોતા મુખ્યમંત્રી ક્વાર્ટર બહાર સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. ગેટની બહાર કોઈને ઉભા રહેવાની મંજૂરી નથી. સુરક્ષાકર્મીઓના જણાવ્યાનુસાર તેઓ 24 કલાક ફરજ બનાવી રહ્યા છે અને માત્ર જમવા જેટલો જ બ્રેક લઈ રહ્યા છે. સવારથી કોઈ હલચલ નથી. ઘણી ગાડીઓ ખાલી જ જઈ રહી છે. અહીં મંત્રીઓ રાતથી જ રોકાય હોવાનો અંદાજ છે.
સરકાર ફ્લોર ટેસ્ટ માટે તૈયાર છે પરંતુ
ઉલ્લેખનીય છે કે રવિવારે કોંગ્રેસના ધારાસભ્યો જયપુરથી ભોપાલ પહોંચ્યા હતા. મોડી રાતે માનેસરમાં રોકાયેલા ભાજપના ધારાસભ્યો પણ અહીં પહોંચી ગયા છે. અત્યારે કોંગ્રેસના 22 ધારાસભ્યો બેંગલુરુમાં છે. અહીં રવિવારે સાંજે ધારાસભ્યોની યાદીમાં માત્ર પાજ્યપાલનું અભિભાષણ અને ધન્યવાદ કાર્યક્રમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી કમલનાથે સ્પષ્ટ કર્યું છે કે, સરકાર ફ્લોર ટેસ્ટ માટે તૈયાર છે પરંતુ તે પહેલાં બેંગલુરુમાં બંધક ધારાસભ્યોને છોડવામાં આવે.
હું ગૃહના દરેક સભ્યોનો સંરક્ષક છું
વિધાનસભામાં આજે ફ્લોર ટેસ્ટ થશે કે નહીં એ સવાલને સ્પીકર એનપી પ્રજાપતિએ કાલ્પનિક ગણાવ્યો છે. રવિવારે મીડિયા સાથેની ચર્ચામાં તેમણે કહ્યું હતું કે, મારે ક્યારે શું નિર્ણય લેવાનો છે તે હું પહેલેથી ન કહી શકું. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, ફ્લોર ટેસ્ટ ક્યારે થશે તે રાજ્યપાલ નક્કી કરશે કે સ્પીકર? ત્યારે તેમણે કહ્યું કે, આ સોમવારે નક્કી થશે. રાજીનામું આપનાર ધારાસભ્યોના ગાયબ થવા વિશે તેમણે કહ્યું કે, હું ગૃહના દરેક સભ્યોનો સંરક્ષક છું.