સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરે પોતાના પદ પરથી રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે. સાંસદ મોહન ડેલકરે એક વીડિયો વાયરલ કરી કહ્યું કે હું આગામી લોકસભા સત્રમાં રાજીનામુ આપીશ અને રાજીનામુ આપવા માટે કોણ જવાદાર છે તે તમામના નામ ઉજાગર કરીશ.
આદિવાસી વિસ્તારમાં સ્થાનિક તંત્ર કામ ન કરતુ હોવાનો આરોપ
ડેલકરે કહ્યું કે હું લોકસભામાં રાજીનામું કેમ આપવું પડ્યું તેનો ખુલાસો પણ કરીશ
મોહન ડેલકરે કહ્યું કે આદિવાસી વિસ્તારમાં વિકાસ માટે પ્રયાસ દિલ્હી લેવલે કર્યાં છે પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા કોઇ કાર્ય નથી કરવામાં આવતા. સેલવાસમાં વિકાસના નામે લોકોની દુકાનો અને ઘર તોડી નાખવામાં આવે છે. અને સરકારી શિક્ષકો અને અન્ય નોકરિયાતને પરેશાન કરવામાં આવી રહ્યાં છે. ઉપરી અધિકારીઓના દબાણના કારણે આત્મહત્યાના પણ કેસ પણ વધ્યા છે.
સાંસદ મોહન ડેલકરે કહ્યું કે હું લોકસભામાં રાજીનામું કેમ આપવું પડ્યું તેનો ખુલાસો પણ કરીશ, સ્થાનિક તંત્ર અને પોલીસ અધિકારીઓ સામે મારી પાસે પુરાવા પણ છે. અને રાજીનામુ આપતા પહેલા પીએમ મોદી અને ગૃહમંત્રી સાથે મુલાકાત પણ કરીશ.
મોહન ડેલકરના શું છે આરોપ?
દાદરા નગર હવેલી ના અપક્ષ સાંસદ મોહન ડેલકરે દેશમાં અરાજકતા માહોલ ચાલી રહ્યો હોય અને કોઈ સરમુખત્યાર શાહી જેવું શાસન ચાલી રહ્યો હોય તેવા ગંભીર આક્ષેપો કર્યા હતા. આદિવાસી વિસ્તારમાં વિકાસ માટે જે પ્રયાસો દિલ્હી લેવલે તેમને કર્યા તેની મજૂરી ભારત સરકારે આપી હોવા છતાં સ્થાનિક સ્તરે પ્રસાસન મોહન ડેલકરના કોઈ પણ પ્રયાસ કે વિકાસના કામ ને બહાલી ન આપતા હોવાથી આદિવાસી વિસ્તારનો વિકાસ અટકી ગયો હોવાનો આક્ષેપ સાંસદ કરી રહયાં છે
તેમણે વધુમાં કહ્યું હતું કે સેલવાસમાં વિકાસના નામે લોકોના દુકાનો અને ઘર તોડી પાડવામાં આવે છે તો સરકારી શિક્ષકો અને અન્ય નોકરિયાતને પરેશાન કરવામાં આવતા હોવાથી પ્રદેશ માં ઉપરી અધિકારીના ત્રાસથી આત્મહત્યા કરવાના બનાવો પણ બન્યા હોવાના આક્ષેપ મોહન ડેલકરે કર્યા છે. તો હાલના પ્રશાસને જિલ્લા પંચાયત અને પાલિકાના હક પણ છીનવી લઇ દિલ્હીની સરકારી યોજના પણ ખાડે ગઈ હોવાના આક્ષેપ કર્યા છે
આમ સાતમી વખત લોક સભામાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલીનું નેતૃત્વ કરી રહેલા અપક્ષ સાંસદ મોહન ડેલકરે રાજીનામાની ચીમકી ઉચ્ચારી વિડીયો વાયરલ કર્યો છે અને આ વિડીયો અત્યારે પ્રદેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જેના કારણે પ્રદેશનું રાજકારણ પણ ગરમાયું છે. તો સરકારી બાબુઓમાં પણ ફફડાટ વ્યાપો છે. ત્યારે આગામી લોકસભામાં કોઈ નવા જૂનીના એંધાણ થાય છે કે પછી દિલ્હીનું નેતૃત્વ આ નાનકડા પ્રદેશમાં લાલીયાવાડી ચલાવતા અધિકારી અને પ્રસાસનના કાન આમળે છે તે જોવું રહ્યું.