ભરૂચ / દારૂબંધીને લઇને સાંસદ મનસુખ વસાવાએ કર્યુ નિવેદન

ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવા તેમના બેરોકટોક નિવેદનો આપવા માટે જાણીતા છે. તે ગમે ત્યારે બોલવામાં બફાટ કરી નાંખે છે આ વખતે પ્લાસ્ટીક મુક્ત ભારતના કાર્યક્રમમાં તેમણે દારૂબંધી મુદ્દે વટાણા વેરી નાંખ્યા હતા. ગુજરાતમાં દારૂ વેચતો હોવાનો અને પિવાતો હોવાનો ખુલાસો કરી દીધો હતો. પોતે સ્વીકાર્યુ હતુ કે, ગુજરાતમાં દારૂબંધી છે પણ સૌ કૌઈ જાણે છે કે, ગુજરાતમાં દારૂ પિવાય છે.

બ્રેકિંગ ન્યૂઝ