ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયેલો છે. ઠેર ઠેર ત્રણય પક્ષો દ્વારા પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે તો વળી વિવિધ બેઠકો પરથી અવનવા નિવેદનો પણ સામે આવી રહ્યાં છે. તેમજ ક્યાંક પક્ષપલટના પણ પવન ફૂંકાઈ રહ્યાં છે તો બીજી તરફ આંકરિક વિખવાદના કિસ્સા પણ સામે આવી રહ્યાં છે. ભરૂચ ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે.
ભરૂચમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ
ભરૂચ જિલ્લા ભાજપનો આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યું હોય તેવું લાગી રહ્યં છે. સાંસદ મનસુખ વસાવાએ આગેવાનોનો જાહેરમાં ઉધડા લીધો હતાં અને તેમણે જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનોને જાહેરમાં ખખડાવ્યા હતાં. તેમને જણાવી દઈએ કે, ઝઘડિયા વિધાનસભા બેઠક અંગે અગાઉ પણ જિલ્લા પ્રમુખ સામે નારાજગી દર્શાવી હતી.
અગાઉ છોટુ વસાવાના કર્યા વખાણ
અગાઉ ભરૂચના ભાજપના સાંસદે મનસુખ વસાવાએ છોટુ વસાવાના વખાણ કર્યા હતાં. મનસુખ વસાવાએ સભામાં છોટુ વસાવાના કાર્યને બિરદાવ્યું પણ હતું તેમણે કહ્યું હતું કે, છોટુ વસાવા આદિવાસીઓના હક અધિકાર માટે લડત ચલાવે છે અને છોટુ વસાવા આદિવાસીઓના માટે લડ્યાં છે તે સ્વીકારવુ પડે જેવો વીડિયો વાયરલ થયા બેદ તેમણે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, છોટુ વસાવાએ આદિવાસીના હક માટે કામ કર્યા છે પણ તે સરકાર નથી બનાઈ શકતા અને પ્રજા માટે કામ કરવું હોય તો નેશનલ પાર્ટીમાં જોડાવું પડે.