મંગળદેવના આ મંદિરે દેશવિદેશથી લોકો નમન કરવા આવે છે. જ્યાં શિવજીની કૃપાથી મંગળદેવની ઉત્પતિ થઇ હતી.
મંગળ પર એક વર્ષ 687 દિવસનું
રાશિચક્રમાં પહેલી તેમજ આઠમી એટલે કે મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી
બ્રહ્માંડમાં મંગળને પાયાની ઉર્જા અને કાર્યક્ષમતાનાં સક્રીય કેન્દ્રબિંદુ કહે છે
મંગળ ગ્રહ લાલ રંગ ધરાવે છે તેનુ રહસ્ય આ મંદિર સાથે જોડાયેલુ છે. દેશના દરેક ખુણેથી અહીં મંગળ દોષની પૂજા કરવામાં આવે છે. સમગ્ર બ્રહ્માંડમાં મંગળને પાયાની ઉર્જા અને કાર્યક્ષમતાનાં સક્રીય કેન્દ્રબિંદુ તરીકે ઓળખવામાં આવે છે
મંગલનાથનું પ્રસિદ્ધ મંદિર મધ્યપ્રદેશની ધાર્મિક રાજધાની ગણાતા ઉજ્જૈનમાં સ્થિત
મંગલનાથનું પ્રસિદ્ધ મંદિર મધ્યપ્રદેશની ધાર્મિક રાજધાની ગણાતા ઉજ્જૈનમાં સ્થિત છે. આ મંદિરને મંગલનાથ મંદિરથી ઓળખવામા આવે છે. પુરાણો અનુસાર, ઉજ્જૈન શહેરને મંગળની જનની કહેવામાં આવે છે. અર્થાત્ મંગળ દેવનો જન્મ અહીં થયો છે. મંગલનાથ મંદિરની માન્યતા છે કે આ મંદિરની એકદમ ઉપર આકાશમાં મંગળ ગ્રહ સ્થિત છે.
મંગળને દેવતાઓનો સેનાપતિ કહેવામાં આવે છે
આમતો ભારતમાં અસંખ્ય સંખ્યામાં મંદિરો આવેલા છે. જેમાં દેવી દેવતાઓ સહિત ગ્રહોના મંદિરનો સમાવેશ થાય છે. મંગળ ગ્રહ એટલે પરાક્રમ કારક ગ્રહ મંગળને દેવતાઓનો સેનાપતિ કહેવામાં આવે છે. ધરતીપુત્ર મંગળ કુંડળીમાં મહત્વનો ભાગ ભજવે છે. જો કે મંગળ એ પૃથ્વી જેવી જ સપાટી ધરાવતો ગ્રહ છે, આ ગ્રહ પર જ્વાળામુખીથી માંડીને ખીણો, રણ અને ધ્રુવીય બર્ફીલા શિખરો આવેલા છે, પરંતુ મનુષ્યનું આ ગ્રહ ઉપર રહેવું અશક્ય છે.
મંગળ પર એક વર્ષ 687 દિવસનું
પૃથ્વી 365 દિવસ અને 6 કલાકમાં સૂર્યની ફરતે એક પરિક્રમા પૂરી કરે છે, જ્યારે મંગળને સૂર્યની એક પરિક્રમા પૂરી કરવા માટે 687 દિવસ લાગે છે. આ પૃથ્વી કરતા લગભગ બમણો સમય છે. તેથી મંગળ પર એક વર્ષ 687 દિવસનું હોય છે.
રાશિચક્રમાં પહેલી તેમજ આઠમી એટલે કે મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી
મંગળને સામાન્યપણે કુજા કે અંગારક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત દંતકથાઓ અનુસાર તેનો જન્મ ધરતીમાતાની કુખે થયો હોવાથી વ્યાપક પ્રમાણમાં ભૂમિપુત્ર તરીકે પણ ઓળખાય છે. ખગોળની દૃશ્ટિએ જોવામાં આવે તો તેની બાહ્યત્તમ સપાટીમાં લોહ ઓક્સાઈડનું પ્રમાણ વિપુલ માત્રામાં હોવાથી તેની સપાટી લાલ રંગની છે માટે તેને રાતો ગ્રહ કહેવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ તેને અગ્નિતત્વનો રાતો ગ્રહ કહેવામાં આવે છે અને રાશિચક્રમાં પહેલી તેમજ આઠમી એટલે કે મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી છે.
બ્રહ્માંડમાં મંગળને પાયાની ઉર્જા અને કાર્યક્ષમતાનાં સક્રીય કેન્દ્રબિંદુ કહે છે
સમગ્ર બ્રહ્માંડમાં મંગળને પાયાની ઉર્જા અને કાર્યક્ષમતાનાં સક્રીય કેન્દ્રબિંદુ તરીકે ઓળખવામાં આવે છે. તે શ્રમ સહિતના તમામ પ્રકારના કામકાજો માટે કારક ગણવામાં આવે છે. મંગળની કામગીરીમાં પ્રતિક્રિયા કરતા ક્રિયા વધુ હોય છે.