ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મામલતદાર સામે આચરેલા અશોભનિય વર્તન મામલે હવે રાજ્યના મામલતદાર આંદોલનનાં 'શ્રી ગણેશ' કરી રહ્યા છે. ગુરૂવારે રાજ્યભરના મામલતદાર કાળી પટ્ટી ધારણ કરશે.
સાંસદ મનસુખ સામે મનદુઃખનાં મંડાણ
મામલતદાર એસો. ગુરુવારે કાળી પટ્ટીમાં
શુક્રવારે સામૂહિક CLપર, માફી માંગે વસાવા
એકાદ સપ્તાહ-દસ દિવસ પૂર્વે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મામલતદાર સામે આચરેલા અશોભનિય વર્તન મામલે હવે રાજ્યના મામલતદાર આંદોલનનાં 'શ્રી ગણેશ' કરી રહ્યા છે. ગુરૂવારે રાજ્યભરના મામલતદાર કાળી પટ્ટી ધારણ કરશે. આ સાથે ગુજરાત રાજય મામલતદાર એસો. વિવિધ કાર્યક્રમ યોજીને સાંસદના વર્તન સામે પોતાનો વિરોધ પ્રદર્શિત કરશે. ગુઉર્વારના વિરોધ પ્રદર્શન બાદ શુક્રવારે તમામ મામલતદાર માસ CLપર જશે. મામલતદાર એસો.ને સાંસદની માફી જોઈએ છીએ. જ્યાં સુધી સાંસદ માફી નહિ માંગે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેવા અંગે પણ ઈશારો કરાયો છે.
અગાઉ મુખ્યમંત્રીને પત્ર લખી આપી હતી ચીમકી
ગત સપ્તાહે આ જ મુદ્દે સાંસદ મનસુખ વસાવા સામે ગુજરાત રાજ્ય મામલતદાર એસો. મેદાને આવ્યું હતું અને મુખ્યમંત્રી, મુખ્ય સચિવ અને મહેસુલ મંત્રીને પત્ર લખીને આપી ચિમકી પણ આપી હતી. એસો.ને સાંસદ મનસુખ વસાવા અને પૂર્વ ધારાસભ્ય સતીશ નિશાળીયા સામે કાર્યવાહીની માગણી કરતો પત્ર પણ લખ્યો હતો.જેમાં સાંસદ અને પૂર્વ ધારાસભ્યએ અશોભનિય વર્તન કર્યો હોવાનો આક્ષેપ કરાયો હતો. મામલતદાર એસો.ને 2 માર્ચ સુધીમાં પગલાં નહિ ભરાય તો આંદોલનની ચીમકી આપી હતી. સાથે એવું પણ કહ્યું હતું કે, જો કાર્યવાહી નહીં થાય તો હડતાળ પર જવાની ફરજ પડશે.
ભરૂચ પટ્ટામાં સાંસદ મનસુખ વસાવા રેતી ખનન મામલે આકરાપાણીએ થયા હતા. એક તકે ગેરકાયદે રેતી ખનન કરતા લોકો સામે કાર્યવાહી બાબતે મામલતદારને સારા જાહેર ખખડાવ્યા
હતા.ગેરકાયદે રેતી ખનનની રજૂઆતો છતાં પરિણામ ના આવતા સાંસદનો પિત્તો હટી ગયો હતો કરજણના આમોદ ગામે ડમ્પર અને બાઇકનો અકસ્માત થયો હતો. અને રેતી લઈને જતા ડમ્પરે અડફટે લેતા બાઇક સવારોનાં મોત થયા હતા. એ વખતે સાંસદ વસાવાએ કહ્યું હતું કે, જે અધિકારી નજીક હતા તેમને ઠપકો આપ્યો. અધિકારીઓ ગેરમાર્ગે દોરી રહ્યા છે.
આ ઘટનાના ગેરા પ્રયાઘાત પડતા હોય તેમ વડોદરામાં પણ તત્કાલ અસરથી સાંસદ વસાવાનો વિરોધ થયો હતો, ત્યાર બાદ, મામલતદાર એસોસીએશને ચીમકી આપી હતી. હવે ચીમકીની સમયાવધિ પૂર્ણ થતા મામલતદાર એસોસીએશન કાલથી આંદોલનાત્મક માર્ગ અખત્યાર કરશે.