સીએમના નામ અંગે સાંસદ કિરીટ સોલંકીનું મોટું નિવેદન સામે આવી રહ્યું છે તેમાં જ્ઞાતિવાદ નહીં પણ સિદ્ધાંતિક સીએમની પસંદગી થશે તેવો મત તેમણે રજૂ કર્યો છે.
સીએમના નામ અંગે સાંસદ કિરીટ સોલંકીનું મોટું નિવેદન
સીએમ કોમનમેન પણ હોઈ શકે છે
જ્ઞાતિવાદ નહીં પણ સિદ્ધાંતિક સીએમની પસંદગી થશે: કિરીટ સોલંકી
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના એકાએક રાજીનામાં બાદ તેમના અનુગામી તરીકે કોણ આવશે ગુજરાતની ગાદીએ તેની ચર્ચા ચકડોળે ચઢી છે. જે નામ સામે આવી રહ્યા છે તેમાં એક સિવાય બધા જ પાટીદાર સમુદાયના છે. ત્યારે સાંસદ કિરીટ સોલંકીનું મોટું નિવેદન સામે આવ્યું છે.
સીએમના નામ અંગે સાંસદ કિરીટ સોલંકીનું મોટું નિવેદન સામે આવ્યું છે. નવા સીએમની જાહેરાત પહેલા કિરીટ સોલંકીએ મોટો અંદેશો આપતા કહ્યું છે કે સીએમ કોમનમેન પણ હોઈ શકે છે. આનો સીધો અર્થ એ થાય છે કે ભાજપ સીએમ માટે ચર્ચા થઈ રહેલા નામોની સિવાય પણ કોઈ અલગ જ ચહેરાને સીએમ તરીકે મૂકી શકે છે. વિધાનસસભાની ચૂંટણીને ધ્યાને રાખીને જ નિર્ણય લેવામાં આવશે તે વાત તો નક્કી છે પણ ભાજપ હરહમેશની જેમ કઈક અલગ કરવા માટે જાણીતું છે. ત્યારે એક કહેવત પ્રમાણે કોથળામાંથી અલગ બિલાડું નીકળી શકે છે. ભાજપ હાલ બેઠક કરી ગંજીપો ચીપી રહી છે. સાંજે ચિત્ર સ્પષ્ટ થઈ જશે તેવા સંકેત ભાજપ કાર્યાલયની બહાર ચાલી રહેલી હલચલમા સ્પષ્ટ જોઈ શકાય છે. સાંસદ કિરીટ સોલંકીએ સીએમને તમે બધા જ ઓળખો છો, નવા સીએમ આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ પસંદગી થઈ છે. આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે સીએમના નામોની રેસમાં જ્ઞાતિવાદ નહીં પણ સિદ્ધાંતિક સીએમની પસંદગી થશે તેવી હામ પણ તેમણે ભરી હતી,
નીતિન પટેલની કેમ થઈ શકે છે પસંદગી?
ગુજરાતની રાજનીતિમાં કદાવર નામ એટલે નીતિન પટેલ.રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ એવા પ્રદેશમાંથી આવે છે જ્યારે, સમગ્ર ગુજરાતમાં માત્ર બે જ બેઠક લોકસભાની હતી ત્યારે, મહેસાણા માં એ.કે.પટેલ સંસદસભ્ય હતા.ઉત્તર ગુજરાત ભાજપનું એપી સેન્ટર રહ્યું છે. અને નીતિન પટેલ અહીંથી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.ગમે તેવી પરિસ્થિતિમાં એક નિષ્ઠ રહી પાર્ટીને વફાદાર રહેલા નીતિન પટેલના મો એ આવેલો મુખ્યમંત્રી પદનો કોળીયો છીનવાઈ ગયાની ચર્ચા પણ હતી. સ્પષ્ટ વક્તા અને રોકડું પરખાવનારા નીતિનભાઈ '90નાં દાયકાથી રાજનીતિમાં સક્રિય છે. ઉત્તર ગુજરાતમાં મજબૂત પકડ ધરાવતા નીતિન પટેલ વહીવટીય કોઠાસૂઝ પણ ધરાવે છે. પાટીદાર સમાજ પોતાના સમાજનો મુખ્યમંત્રી આગામી ચૂંટણી બાદ હોય તેવી લાગણી ધરાવે છે. આ શ્રુંખલામાં નીતિન ભાઈ ફીટ બેસે છે.
પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ નામ કેમ ચર્ચામાં
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ નવસારીના સાંસદ છે. સુરતથી મુબઈ વચ્ચે ચાલતી ટ્રેનમાં અપ-ડાઉન કરતા મુસાફરોની હાલાકી નિવારવા તેમણે કેન્દ્રમાં અનેક વખત રજૂઆત કરી સમસ્યાઓનો હલ કાઢ્યો હતો. લોક-ડાઉન વખતે પણ સૂરત-નવસારીના પરપ્રાંતિયો માટે વિશેષ વ્યવસ્થાથી તેઓને વતન રવાના કર્યાનું સરાહનીય પગલું પણ તેમના નામે બોલે છે.વડાપ્રધાન મોદીના સુરતના કાર્યક્રમોની વિશેષ જવાબદારી નિભાવતા ચંદ્રકાંત રુઘુનાથ પાટીલ ગુજરાતના પહેલા એવા પ્રદેશ અધ્યક્ષ છે જેઓ પાટીદાર સમાજમાંથી નથી આવતા. 2014માં ઉત્તરપ્રદેશના સહ પ્રભારી રહી ચુકેલા પાટીલ ગુજરાતમાં પણ અધ્યક્ષ પદે સુચારુ કામગીરી નિભાવી રહ્યા છે. વડાપ્રધાન મોદીના નિકટમ સાથીઓમાં સી.આર.પાટીલનું નામ અગ્રેસર છે.
કેમ મનસુખ માંડવીયા ?
મનસુખ માંડવિયા સૌરાષ્ટ્રના સૌથી મોટા લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે.ગુજરાતની રાજનીતિમાં લેઉવા પાટીદારોનું પણ કડવા પાટીદાર જેટલું જ યોગદાન છે તેમ કહીએ તો અતિશયોક્તિ નથી.એક પણ ચુંટણી લડ્યા વગર મનસુખ માંડવીયા કેન્દ્રીય રાજ્યમંત્રી બન્યા છે.અને હાલમાં જ કેબીબેત મંત્રી સુધીનું પ્રમોશન મેળવ્યું છે.તેના પરથી જ તેમની સંગઠનાત્મક કૂનેહ,અને વહીવટીય ક્ષમતાનો અંદાજ આવી જાય છે. વડાપ્રધાનના એકદમ વિશ્વાસુ રહેલા માંડવીયાનું નામ પણ અગાઉ મુખ્યમંત્રી તરીકે ચાલી ગયું છે.પાટીદાર અનામત આંદોલન વખતે મનસુખ માંડવીયાની ભૂમિકા 'કેન્દ્રના દૂત' જેવી હતી અને કહેવાય છે કે, વડાપ્રધાન કાર્યાલયમાં ગુજરાતની ગતિવિધિનું સીધું રીપોર્ટીંગ કરતા હતા. 2012માં પહેલી વખત રાજ્યસભાના સાંસદ બન્યા બાદ નરેન્દ્ર મોદીએ પણ માંડવીયાની ભરપૂર પ્રસંશા કરી હતી. કેન્દ્રમાં આરોગ્ય મંત્રાલય સંભાળતા માંડવીયા સામાન્ય પ્રવક્તાથી કેન્દ્રીય કેબીનેટ મંત્રી બન્યા છે.
ગોરધન ઝડફિયા પણ હરીફાઈમાં
ભારતીય જનતા પાર્ટીમાં પાટીદાર સમાજનું વિશ્વ્સ્થ નામ એટલે ગોરધન ઝડફિયા. રાજ્યના એક સમયે ગૃહમંત્રી રહેલા ઝડફિયા કેશુભાઈ પટેલના અત્યંત વિશ્વાસુ. કેશુભાઈ પટેલે જ્યારે ગુજરાત પરિવર્તન પાર્ટી બનાવી ત્યારે,ઝડફીયા ભાજપથી નારાજ થઇ GPPમાં જોડાયા અને વિધાનસભા ચૂંટણી પણ લડ્યા હતા. કેશુભાઈએ GPP સમેટી લેતા ગોરધનભાઈ ફરી ભાજપમાં આવી ગયા અને સંગઠનની કામગીરીમાં જોતરાઈ ગયા હતા. ઝડફિયા, ભાજપ માટે 'થીંક ટેંક' સદ્સ્યોમાના એક છે. તેમની ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પણ સંભાવનાઓ જોવાઈ રહી છે.