જમ્મુ-કશ્મીર અને લદ્દાખ મુદ્દે લોકસભામાં ચર્ચા થઈ.આ દરમિયાન ભાજપના સાંસદ જામયાંગ સેરિંગે ખુબ શાનદાર ભાષણ આપ્યું. તેણે લદ્દાખને કેન્દ્ર શાસિત રાજ્ય જાહેર કરવા પર સરકારનો આભાર માન્યો. આ સાથે જ તેણે કહ્યું કે, છેલ્લા 71 વર્ષથી સરકારોએ લદ્દાખને ક્યારેય અપનાવ્યું નહીં.
સદનમાં જામયાંગ સેરિંગે જણાવ્યું કે અમારા લોકોએ કહ્યું હતું કે, જમ્મુ-કશ્મીર સાથે અમને ન રાખવામાં આવે. પરંતુ કોઈએ સાંભળ્યું નહીં અને જે પણ લોકો આજે લદ્દાખને અલગ કરવા પર વિરોધ કરી રહ્યા છે તે માત્ર પુસ્તકીયું જ્ઞાન ધરાવે છે. પરંતુ વાસ્તવિક્તા અલગ છે.
My young friend, Jamyang Tsering Namgyal who is @MPLadakh delivered an outstanding speech in the Lok Sabha while discussing key bills on J&K. He coherently presents the aspirations of our sisters and brothers from Ladakh. It is a must hear! https://t.co/XN8dGcTwx6
આપને જણાવી દઇએ કે, જામયાંગ સેરિંગનું ભાષણ એટલું વિશ્વસનીય હતું કે, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથસિંહ સહિતના લોકોએ તેમની પ્રશંસા કરી. એટલું જ નહીં ખુદ પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરી સાંસદની પ્રશંસા કરી અને સંદેશ આપ્યો કે દરેક વ્યક્તીએ એક વખત જામયાંદ સેરિંગનું આ નિવેદન સાંભળવું જોઈએ.
Jamyang Tsering, BJP MP from Ladakh in Lok Sabha on #Article370Revoked: What will be lost with this decision? Sirf do pariwar rozi-roti khoyenge aur Kashmir ka bhavishya ujjwal hone wala hai. pic.twitter.com/Jb4AMLQnOa
ભાજપના સાંસદે કહ્યું કે, 1965-71-99ની લડાઇમાં હંમેશાં લદાખની જનતાએ જ બલિદાન આપ્યું છે. તેમણે કહ્યું કે નેશનલ કોન્ફ્રેન્સના સાંસદો કહેતા હતા કે કલમ 370 ના હટાવવાને કારણે તેઓ ઘણું ગુમાવશે, હું તેમની વાત માનું છું કે તેનાથી એક ચીજ જરૂર ગુમાવી છે. તે છે પરિવારની રોજી અને રોટી. જેઓ અત્યાર સુધી કાશ્મીર પર શાસન કરી રહ્યા હતા. ભાજપના સાંસદે કહ્યું કે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવો એ અમારા ચૂંટણી ઢંઢેરાનો ભાગ હતો અને તેથી જ લોકોએ અમને મત આપ્યો હતો.
Ladakh MP Jamyang Tsering: UPA gave Kashmir a central University in 2011, Jammu fought & took a central univ. I was a Student Union leader. We demanded for a central univ in Ladakh, but we didn't get any. PM Modi Ji recently gave us a university, 'Modi Hai to Mumkin Hai' https://t.co/rHdW3EOF0w
તેમણે પોતાના ભાષણ દરમિયાન પૂર્વ યુપીએ સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે તમારી સરકાર લદાખના નામે પૈસા લેતી હતી અને કાશ્મીરમાં તેઓ ઉડાવતા હતા. તમે લોકો 1000 નોકરીમાંથી 10 નોકરી માટે લદાખની પસંદગી કરી નથી. લદ્દાખમાં એક પણ શિક્ષણ સંસ્થા નથી. તમે લોકો આજ સુધી લદાખની ભાષાને જગ્યા આપી નથી.
સ્પીકર ઓમ બિરલાએ કર્યા વખાણ
સ્પીકર ઓમ બિરલાએ પણ લદ્દાખ સાંસદનાં સેરિંગનાં વખાણ કર્યા હતાં. બિરલાએ વખાણ કરતા કહ્યું હતું કે તેઓ યુવા સાંસદ છે અને હંમેશા ગૃહમાં સારગર્ભિત વાત જ મુકતા રહે છે. કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની અને ગૃહ મંત્રી અમિત શાહ સહિત તમામ લોકસભા સાંસદોએ સેરિંગનાં સંબોધનને પાટલી થપથપાવીને તેમને અભિનંદન પાઠવેલ.