બૉયકોટ બોલીવુડને લઈને અર્જુન કપૂરની પ્રતિક્રિયા પર મધ્યપ્રદેશનાં ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે જનતાને ધમકાવવાને બદલે તે પોતાની એક્ટિંગ પર ધ્યાન આપે.
જનતાને ધમકાવવાને બદલે તે પોતાની એક્ટિંગ પર ધ્યાન આપે - નરોત્તમ મિશ્રા
તમે પણ રાહ જુઓ અર્જુનજી, હવે જનતા જાગરૂક થઈ ગઈ છે - નરોત્તમ મિશ્રા
અર્જુન કપૂર પર ભડક્યા નરોત્તમ મિશ્રા
હાલમાં જ બૉયકોટ બૉલીવુડ ટ્રેન્ડ પર અભિનેતા અર્જુન કપૂરે પ્રતિક્રિયા આપી હતી. હવે મધ્યપ્રદેશનાં ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ અર્જુન કપૂરની પ્રતિક્રિયા સામે જવાબ આપતા જણાવ્યું છે કે કોઈ ફ્લોપ અને ફ્રસ્ટ્રેટેડ એક્ટર જનતાને ધમકાવે એ હું યોગ્ય નથી સમજતો. જનતાને ધમકાવવાને બદલે તે પોતાની એક્ટિંગ પર ધ્યાન આપે એ વધારે યોગ્ય રહેશે. મારો એક તેમને સવાલ છે કે શું તેમનામાં કે પછી તેઓ જે ટુકડે ટુકડેને સમર્થન કરે છે, તેમનામાં હિંમત છે કે કોઈ અન્ય ધર્મ પર ફિલ્મ બનાવી શકે, કોઈ અન્ય ધર્મ માટે અપમાનિત શબ્દો બોલી શકે, અન્ય ધર્મનાં દેવતાઓને નીચા બતાવી શકે? માત્ર સનાતની લોકો સાથે આવું કરીને જનતાને બૉયકોટ પર ધમકી આપે છે. તમે પણ રાહ જુઓ અર્જુનજી, હવે જનતા જાગરૂક થઈ ગઈ છે.
फिल्म अभिनेता #ArjunKapoor का जनता को धमकाना ठीक बात नहीं है। जनता को धमकाने की जगह अपने अभिनय पर ध्यान देना चाहिए।
अपनी फिल्मों में हिंदू धर्म को टारगेट करने वाले टुकड़े-टुकड़े गैंग के हिमायती कलाकार बॉयकॉट पर क्यों जनता को धमकाते हैं? pic.twitter.com/STpxY94GVc
અર્જુને કઇંક આવું બોલ્યા હતા
અર્જુન કપૂરે બૉયકોટ બૉલીવુડ ટ્રેન્ડ ચાલી રહ્યો છે તેના પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, 'હવે સમગ્ર બૉલીવુડ ઈન્ડસ્ટ્રીએ એકસાથે આવીને તેની સામે લડવું પડશે, કારણ કે હવે આ વાત ઘણી આગળ વધી રહી છે. હવે યુઝર્સનો જવાબ આપવાનો વારો છે.' એક મીડિયા સાથેની વાતચીતમાં અર્જુન કપૂરે આગળ કહ્યું હતું કે, "ઇન્ડસ્ટ્રીના લોકોએ ચૂપ રહીને ખોટું કર્યું, લોકો અમારા મૌનનો ફાયદો ઉઠાવી રહ્યા છે અને તેઓ જે મનમાં આવે છે તે બોલી રહ્યા છે. પહેલા મને લાગ્યું હતું કે અમારું કામ બોલશે, શા માટે આવી પ્રતિક્રિયા આપીને હાથ ગંદા કરવા પણ હવે વાત ઘણી આગળ વધી રહી છે. બોલીવુડને બૉયકોટ કરવાની લોકોની સિસ્ટમ હવે એમની આદત બની ગઈ છે."
Arjun Kapoor ke is interview ko bhi vaise he ignore karo jaise abhi tak iski movies ko karte aaye ho. https://t.co/UOPSbPxmGT
આગળ અર્જુન કપૂરે કહ્યું હતું કે, ' હવે બધાએ સાથે આવીને આવા લોકો સામે અવાજ ઉઠાવવો પડશે કારણ કે જે લોકો અમારા વિશે લખી રહ્યાં છે, હેશટેગ્સ ટ્રેન્ડ કરી રહ્યાં છે એ બધા લોકોને રિયાલિટી ખબર નથી. જ્યારે અમે કોઈ ફિલ્મમાં કામ કરી છીએ અને એ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરે છે તેનો અર્થ એમ છે કે અમારી ફિલ્મ સારી છે અને લોકોને અમારું કામ પસંદ આવ્યું છે. બોક્સઓફિસ પર અમારી અટકને કારણે નહીં, પણ અમારા કામને કારણે ફિલ્મ કમાણી કરે છે. લોકો એ તે વાત સમજવી પડશે.'
Important point is who the hell is Arjun Kapoor, who wants to boycott his audience??? https://t.co/eP1cdOJAaZ
અર્જુન કપૂરે કહ્યું હતું કે, ' શુક્રવારે સવારે પહેલા લોકોમાં સ્પાર્ક હતો, નવી ફિલ્મને લઈને ઉત્તેજના હતી અને એ જ ઈન્ડસ્ટ્રીની ચમક હતી જે હવે ફિક્કી પડતી જાય છે. જો કોઈ નાવી ગાડી પર એકધારું કીચડ ઉછાળતા રહે તો કોઈ પણ ચકાચક ગાડીની ચમક ફિક્કી પડી જાય છે.'