ભરુચમાં સાંસદ મનસુખ વસાવા પર નિવેદન આપતા સીઆર પાટીલે જણાવ્યું હતું કે 6 વાર જીત્યા હોય અને 7 મી વાર જીતવું હોય તો કાર્યાલય જોઇશે.
ભરુચમાં સીઆર પાટીલનું નિવેદન
સીઆર પાટીલનું મનસુખ વસાવા પર નિવેદન
મનસુખ ભાઇએ સારુ ભાષણ કર્યુ-પાટીલ
ભરૂચમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું નિવેદન સામે આવ્યું છે. જેમાં સાંસદ મનસુખ વસાવા અંગે સી.આર. પાટીલએ નિવેદન આપી કહ્યું કે મનસુખભાઇએ સારું ભાષણ કર્યું છે અને કાર્યાલયનું મહત્વ પણ સારી રીતે સમજાવ્યું છે. પરંતુ હજુ સુધી એમણે પોતાનું કાર્યાલય ખોલ્યું નથી એ હકીકત છે. લોકોને પ્રશ્ન પૂછતાં કહ્યું કે આવું ચાલે? જેમાં લોકોએ ન ચાલે તેવો જવાબ આપ્યો હતો.
કાર્યાલય ખોલશે પણ જલદી ખોલજો : પાટીલ
સીઆર પાટીલે હળવા મૂડમાં કહ્યું કે તમે કાર્યાલય ખોલો, હું ઉદ્ઘાટન કરવા આવીશ. એટલું જ નહીં દિગગજ સાંસદ મનસુખ વસાવાની લોકસભામાં વધુ એક વખત ટીકીટ પાકી હોય તેવો પણ સી આર પાટીલે ઈશારો કર્યો હતો. તેમણે કહ્યું કે 6 વખત જીત હાંસલ કરી હોય અને હવે 7મી વાર જીત મેળવવી હોય તો કાર્યાલય તો ખોલવી જ જોશે અને જો ન લડવું હોય અને બીજા કોઈને મોકો આપવો હોય તો કાર્યાલય ન ખોલતા ! ત્યારબાદ કહ્યું હતું કે લાગે છે હવે મનસુખભાઇ ખોલશે પણ જલ્દી ખોલજો !