MP ના રહેવાસી ખેડૂત ધરમજય સિંહને કોરોના સંક્રમણ થયા બાદ 50 એકર જમીન વેચી આઠ કરોડ રૂપિયા ખર્ચીને લંડનના ડોકટરો પાસે સારવાર કરાવ્યા બાદ પણ તેઓનો જીવ બચાવી શકાયો ન્હોતો.
કોરોનાએ ઘણા લોકોના જીવ લીધા હતા
એક ખેડૂતે પરિવારે 8 કરોડ રૂપિયા ખર્ચી દીધા હતા
છતાં તેઓનો જીવ બચાવી શકાયો ન્હોતો.
એમપીના રીવા જિલ્લાના ખેડૂત ધરમજય સિંહ આઠ મહિના પહેલા કોરોનાથી સંક્રમિત થયા હતા. ઇન્ફેકશન લાગ્યા બાદ તેને સારવાર માટે રીવાની સંજય ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
ફેફસામાં વધુ ઈન્ફેક્શન થતાં બાદમાં ડોક્ટરોની સલાહ પર સંબંધીઓ તેઓને ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. આઠ મહિના સુધી ત્યાં ધરમજય સિંહની સારવાર કરવામાં આવી, પરંતુ તેમનો જીવ બચ્યો નહીં. પરિવારે તેઓની સારવાર પાછળ આઠ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.
ફેફસાં 100% અસરગ્રસ્ત હતા
આઠ મહિના પહેલા રીવા જિલ્લાના રાકરી ગામના રહેવાસી ધરમજય સિંહને કોરોના સંક્રમણના લક્ષણો જણાતા શંકાસ્પદ હોવાથી ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેને રીવાની સંજય ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે પરિસ્થિતિમાં સુધારો ન થયો, ત્યારે તેને એરલિફ્ટ કરીને ચેન્નાઈ લઈ જવામાં આવ્ય હતા. તેમને ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દેશના જાણીતા તબીબો તેમજ લંડનના તબીબોએ તેમની સારવાર કરી હતી. તેમણે મંગળવારે રાત્રે ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
સ્ટ્રોબેરી અને ગુલાબની ખેતી કરતા હતા ધરમજય સિંહ
ધર્મજય સિંહની ગણના રાજ્યના પ્રગતિશીલ ખેડૂતોમાં થતી હતી. મૌગંજ વિસ્તારના રાકરી ગામના રહેવાસી ધરમજય સિંહની સમગ્ર રાજ્યમાં એક અલગ ઓળખ હતી.
તેમણે સ્ટ્રોબેરી અને ગુલાબની ખેતી કરીને વિંધ્ય પ્રદેશમાં એક અલગ ઓળખ બનાવી છે. 26 જાન્યુઆરી 2021 ના રોજ, સીએમ શિવરાજ સિંહ ચૌહાણે એસએફ ગ્રાઉન્ડના મેદાનમાં આયોજિત સમારોહમાં તેમનું સન્માન કર્યું.
2 મે, 2021ના રોજ રિપોર્ટ પોઝિટિવ આવ્યો
પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, તબિયત અચાનક બગડ્યા બાદ 30 એપ્રિલ 2021ના રોજ કોવિડ-19ની તપાસ કરવામાં આવી હતી. 2 મેના રોજ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને રીવાની સંજય ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં 18 દિવસ સુધી સારવાર લીધા બાદ તેમને વધુ સારી સારવાર માટે એર એમ્બ્યુલન્સ દ્વારા ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેઓ માત્ર ચાર દિવસમાં જ કોરોના સંક્રમણથી સાજા થઈ ગયા હતા. પરંતુ ફેફસામાં 100% ચેપ હતો. આ પછી હોસ્પિટલમાં ઇક્મો મશીનની મદદથી તેને નવું જીવન આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા.
અઠવાડિયા પહેલા બીપી અચાનક ઘટી ગયું
એક અઠવાડિયા પહેલા તેઓનું બ્લડ પ્રેશર અચાનક ઘટી ગયું હતું. હોસ્પિટલના તબીબોએ તેમને આઈસીયુમાં ખસેડ્યા હતા, જ્યાં તેમને બ્રેઈન હેમરેજ થયું હતું. ઘણી બીમારીઓને કારણે તે સાજા થઈ શક્યા નહીં. 8 મહિનાની સારવાર બાદ ચેન્નાઈની હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું હતું.
પરિવારજનોએ જણાવ્યું કે આ સારવારમાં આઠ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. એકમો મશીનની કિંમત દરરોજ બે થી ત્રણ લાખ રૂપિયા હતી. વેન્ટિલેટર નિષ્ફળ જાય પછી, દર્દીને એકમો મશીનની જરૂર પડે છે. સારવારમાં ખેડૂત ધરમજય સિંહના પરિવારજનોએ 50 એકર જમીન વેચી દીધી હતી.
સરકાર તરફથી ચાર લાખની મદદ
ખેડૂત ધરમજય સિંહના મોટા ભાઈ પ્રદીપ સિંહ એડવોકેટ છે. તેણે કહ્યું છે કે અમે અમારા ભાઈને બચાવવા માટે તમામ પ્રયાસ કર્યા હતા. આઠ કરોડ રૂપિયા ખર્ચીને તેની સારવાર કરાવી છે. પૈસાની અછતને પહોંચી વળવા 50 એકર જમીન વેચી. તેમ છતાં પણ તેઓ ભાઈને બચાવી શક્યા નથી. સરકાર તરફથી પણ બહુ મદદ મળી નથી.
સારવાર માટે સરકાર તરફથી 4 લાખ રૂપિયાની આર્થિક સહાય મળી હતી. તેમની સારવાર પાછળ દરરોજ એકથી ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ થતો હતો. તેઓના ભાઈએ કહ્યું હતું કે તેણે કોવિડ મહામારી દરમિયાન લોકોની ખૂબ સેવા કરી હતી. આ દરમિયાન તેમને જ કોવિડ સંક્રમણ થયું હતું.