કોરોના મહામારીની બીજી લહેરના કારણે હાલમાં ભારતમાં ભયંકર તારાજી વ્યાપી ગઈ છે, ઓક્સિજન સંકટ, દવાઓની ઉણપ, રસીની અછત વગેરેના કારણે દર્દીઓએ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
આવી સ્થિતિમાં હાલમાં ઘણા દેશો માનવતાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે, એવી જ એક ઘટનામાં મધ્ય પ્રદેશના એક ખેડૂત ચંપાલાલ ગુર્જરે પોતાની પુત્રીના લગ્ન માટે ભેગા કરેલા 2 લાખ રૂપિયા લોકો માટેઓ ઓક્સિજન સિલિન્ડર ખરીદવા માટે જિલ્લા વહીવટીતંત્રને દાનમાં આપી દીધા છે, જેના પછી તેમના આ કામની ઘણી પ્રશંસા કરવામાં આવી રહી છે.
પુત્રીના લગ્ન માટે બે લાખની વ્યવસ્થા કરી હતી
એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર મધ્ય પ્રદેશના નીમચ જિલ્લામાં રહેવા વાળા ચંપાલાલ ગુર્જરે પોતાની દીકરીના લગ્ન માટે 2 લાખ રૂપિયાની જોગવાઈ કરી હતી, જો કે આ રકમ નીમચ જિલ્લા વહીવટીતંત્રને આપી દીધા હતા, જેના કારણે લોકો ઑકિસજનની ઉણપના લીધે જીવ ન ગુમાવે અને આ દર્દીઓ માટે બે ઓક્સિજન કોન્સેન્ટરેટર્સ મશીન ખરીદી શકાય.
કલકેટરે આ નિર્ણયની પ્રશંસા કરી
ચંપાલાલે જિલ્લા કલેકટર મયંક અગ્રવાલને 2 લાખ રૂપિયાનો ચએક સોંપ્યો હતો, જેમાંથી બે ઓક્સિજન કોન્સેન્ટરેટર્સ મશીન ખરીદવામાં આવશે, જેમાંથી એક નીમચ જિલ્લા હોસ્પિટલ અને બીજું જીરન સરકારી હોસ્પિટલને મોકલવામાં આવશે. નીમચના કલેકટર મયંક અગ્રવાલે દાનવીર ખેડૂત ચંપાલાલ ગુર્જરના આ નિર્ણયની પ્રશંસા કરી હતી, આ દરમિયાન તેમણે કહ્યું હતું કે જો બધા લોકોની વિચારધારા આવી હોય તો ખરેખર ખૂબ મોટી મદદ થઈ શકે છે.
ધૂમધામથી કરવા માંગતા હતા લગ્ન
ચંપાલાલ ગુર્જરે કહ્યું હતું કે દરેક પિતાની જેમ મારુ પણ એક સપનું હતું કે હું મારી દીકરી અનિતાના લગ્ન ધામધૂમથી કરું પણ કોરોના મહામારીના કારણે આ શક્ય ન થયું. એટલે આ સમયમાં આ લગ્નને વધુ યાદગાર બનાવવા માટે મેં આ નિર્ણય લીધો. આ મામલે દીકરી અનિતાએ પણ પિતાની વાતમાં સૂર પૂરાવતા કહ્યું હતું કે હું મારા પપ્પાના આ નિર્ણયથી ઘણી ખુશ છું, મારા લગ્નના ખર્ચના પૈસાથી ઘણા દર્દીઓના જીવન બચી શકશે.