મધ્ય પ્રદેશમાં છેવટે શિવરાજ સિંહ ચૌહાણે પોતાની હારનો સ્વીકાર કરી લીધો છે. બુધવારે સવારે શિવરાજ સિંહે મીડિયા સામે આવ્યા અને કહ્યુ કે ''જનતાએ અમને સ્પષ્ટ બહુમત ના આપ્યો.''
શિવરાજ સિંહે આગળ કહ્યુ કે અમે નિર્ણય લીધો છે કે સ્પષ્ટ બહુમત ન મળવાના કારણે અમે સરકાર બનાવવો દાવો નહી કરીએ હું મારું રાજીનામું આપવા માટે રાજ્યપાલ પાસે જઇ રહ્યો છુ એટલું કહ્યા પછી શિવરાજ સિંહ ખુરશી પરથી ઉભા થયા અને રાજભવનની તરફ રવાના થયા રાજીનામું આપ્યા પછી શિવરાજે કહ્યુ કે ''હવે હું આઝાદ છું.''
રાજ્યપાલને મળ્યા પછી શિવરાજ સિંહે કહ્યુ કે ''હું રાજીનામું આપીને આવ્યો છું. પરાજયની જવાબદારી માત્ર મારી છે પાર્ટીના કાર્યકર્તાઓએ ઘણો પરિશ્રમ કર્યો હતો.''
પાર્ટીના પ્રદેશ કાર્યાલયમાં થયેલા સંવાદદાતા સંમેલન કરતા શિવરાજ સિંહે કહ્યુ કે અમે 13 વર્ષમાં પ્રદેશની જનતા માટે કામ કરવાનો મૌકો મળ્યો તે માટે ધન્યવાદ. અમારી સરકારે મધ્ય પ્રદેશમાં ખરાબ હાલમાંથી નીકાળીને ખુશહાલ રાજ્ય બનાવ્યુ. શિવરાજ સિંહ ચૌહાણે કહ્યુ કે હારની જવાબદારી મારી છે કોઇના કોઇ કંઇક બાકી રહી ગયુ છે જેના પર ચર્ચા કરીશું. શિવરાજ સિંહે કોંગ્રેસને શુભકામના આપતા કહ્યુ કે જનતા માટે શરૂ કરેલી અમારી યોજનાઓની ઠીક રીતે ચલાવે તેઓ આગ્રહ રાખું છું.
શિવરાજ સિંહે પ્રદેશની સત્તા સાંભળવા જઇ રહેલી કોંગ્રેસને ચૂંટણીનું વચન યાદ કરાવતા કહ્યુ કે રાહુલ ગાંધીએ કહ્યુ કે જો 10 દિવસમાં ખેડૂતોનો દેવામાફા નહી કરવામાં આવે તો અમે મુખ્યમંત્રી બદલી દઇશું. હવે કોંગ્રેસ પોતાના વચનો પૂરા કરે હું ચોકીદારી કરતા જોઇએ કે તેઓ વચનો પૂરા કરે છે કે નહીં. આ સાથે જ શિવરાજ સિંહે કહ્યુ કે હવે અમે લોકસભા ચૂંટણીની તૈયારીમાં લાગીશું.
મંગળવારના દિવસભરની ટક્કર પછી બુધવારે ચૂંટણી આયોગે કોંગ્રેસને 114 સીટની સાથે સૌથી મોટી પાર્ટી જાહેર કરી હતી તો આ તરફ માયાવતી અને અખિલેશ યાદવે પણ કોંગ્રેસને સમર્થન આપવાનું એલાન કર્યુ હતુ.
આ પહેલાં સુધી બીજેપીમાં અંદરખાને સરકાર બનાવવાની મથામણ ચાલતી રહી. શિવરાજ સિંહ ચૌહાણ કૈલાશ વિજયવર્ગીય નરેન્દ્ર સિંહ તોમર પ્રભાત ઝા અને રાકેશ સિંહ રાતભર મીટિંગ કરતા રહ્યાં. પરંતુ આજ સવાર સુધી આની કોઇ જ સંભાવના બનતી જોવા ના મળી.