મધ્યપ્રદેશની 28 બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે. જેને લઇને રાજ્યમાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે અને કેટલાય ભાગોમાં સભા અને રેલીઓ યોજાઇ રહી છે.
ત્યારે મંધાતા વિધાનસભા બેઠક માટે જ્યોતિરાદિત્ય સિંધિયાએ પ્રચાર શરૂ કર્યો અને સંબોધન કર્યું હતું આ દરમિયાન એક વૃદ્ધ ખેડૂતનું હ્રદયરોગના હુમલાને કારણે નિધન થયું હતું. ત્યારે આ ઘટના મામલે હવે રાજકારણ ગરમાયું છે અને કોંગ્રેસ ભાજપ પર પ્રહાર કર્યા હતા.
કોંગ્રેસે ઘટનાનો વીડિયો કર્યો પોસ્ટ
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, ખેડૂતના મોતને પગલે 1 મિનિટનું મૌન રાખવામાં આવ્યું પરંતુ 27 સેકન્ડમાં ખતમ કરી દીધું. આ મામલે કોંગ્રેસ ભાજપ પર નિશાન તાકતા કહ્યું કે, ખેડૂતનું મોત છતાં તેમના નેતા ભાષણ આપતા રહ્યા. કોઇ જ નીચે ન ઉતર્યા. તો એમપી કોંગ્રેસે વીડિયો ટ્વીટ કરીને લખ્યું કે, ભાજપના કાર્યક્રમમાં ખેડૂતનું મોત ભાજપે ભાષણબાજી ચાલું રાખી. શિવરાજજી જનતા નહીં તો કાઇ નહીં ભગવાનથી તો ડરો...!
बीजेपी के कार्यक्रम में किसान की मौत,
—बीजेपी की भाषणबाज़ी फिर भी जारी रही;
आज बीजेपी के कार्यक्रम में एक किसान की मौत हो गई लेकिन बीजेपी के बेशर्म नेताओं ने कार्यक्रम नहीं रोका। किसान की लाश पड़ी रही और बेशर्म भाजपाई ताली बचाते रहे।
આ મુદ્દે પત્રકાર સાક્ષી જોશીએ પણ ટ્વીટ કર્યું છે. સાક્ષીએ લખ્યું મહારાજજીની રાજાશાહી જુઓ. ગ્રાઉન્ડમાં ખેડૂતનું મોત થયું અને બેકગ્રાઉન્ડમાં તેઓ આમ જ ચાલી રહ્યા છે.
ખુરશી પર જ ઢળી પડ્યો ખેડૂત
આ મામલે મૂંદી પોલીસ સ્ટેશનના પ્રભારીનું કહેવું છે કે, ચાંદપુર નિવાસી 70 વર્ષીય ખેડૂત જીવનસિંહ મૂંદીમાં રવિવારે આયોજીત સભામાં હાજર રહ્યા હતા. તેમની તબિયત અચાનક બગડી અને ખુરશી પર જ ઢળી પડ્યા. તેમને તાત્કલિક અસરથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં ડોક્ટર તેમને મૃત જાહેર કર્યા. તેમનું મોત હ્રદયરોગના હુમલાને કારણ થયું હતું.