મધ્ય પ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણે ગુરુવારે આસામના ચૂંટણી પ્રચારમાં ભાગ લીધો હતો અને પોતાના સંબોધનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને શિવરાજનો ટોણો
કોંગ્રેસ નેતાના નામનો અર્થ સમજાવીને સાધ્યું નિશાન
આસામની એક ચૂંટણી સભાને સંબોધી રહ્યા હતા શિવરાજ
રાહુલ ગાંધીએ એમના એક નિવેદનમાં આરએસએસની આલોચના કરી હતી, જેના જવાબમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે રાહુલ ગાંધીના નામનો ફુલફોર્મ જણાવીને તેમની પર પ્રહારો કર્યા હતા. તેમના સંબોધનમાં તેમણે કહ્યું હતું કે
राहुल गांधी ने कांग्रेस को भी कहीं का न छोड़ा। अब तो RAHUL का मतलब हो गया है-
R - Rejected
A - Absent Minded
H - Hopeless
U - Useless
L - Liar
સીએમ શિવરાજ માત્ર આટલેથી જ રોકાયા નહોતા, અને ચૂંટણી સભા પછી આરએસએસને લઇને રાહુલ ગાંધીએ જે ટ્વિટ કરેલું તેના પર પણ નિશાન સાધ્યું હતું, મહત્વનું છે કે રાહુલ ગાંધીએ આરએસએસ પર નિશાન સાધતાં લખ્યું હતું કે મારુ માનવું છે કે, RSS અને સંબંધિત સંગઠનોને સંઘ પરિવાર કહેવું યોગ્ય નથી, પરિવારમાં મહિલાઓ હોય છે, વડીલોની માટે સન્માન હોય છે, કરુણા અને સ્નેહની ભાવના હોય છે, જે RSSમાં નથી, માટે હું RSSને સંઘ પરિવાર નહીં કહું.
जिनके लिए परिवार का मतलब सिर्फ़ एक ‘उपनाम’ में सिमट कर रह गया हो, वो क्या जाने परिवार क्या होता है! https://t.co/za7RfBqS06
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) March 25, 2021
સીએમ શિવરાજે આપ્યો જવાબ
આ ટ્વિટના જવાબમાં સીએમ શિવરાજસિંહે પણ એક ટ્વિટ કર્યું હતું અને કહ્યું હતું કે જેના માટે પરિવારનો મતલબ માત્ર એક ઉપનામમાં સમેટાઈને રહી ગયો હોય, તે શું જાણે કે પરિવારનો મતલબ શું હોય છે?
નોંધનીય છે આસામ અને બંગાળમાં પહેલા ચરણની વિધાનસભા ચૂંટણી માટેના પ્રચારની આજે સમાપ્તિ થઈ ગઈ, માટે હવે આ ચરણમાં બંને રાજ્યોની મળીને 77 વિધાનસભા સીટો પર ચૂંટણી થવામાં છે. આસામની 47 સીટો પર 267 લોકો અને બંગાળની 30 વિધાનસભા સીટો પર 191 ઉમેદવારો મેદાનમાં છે.