નવી દિલ્હીઃ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે આખરે કમલનાથે શપથ ગ્રહણ કરી લીધા છે. તે સાથે જ તાત્કાલિક તેમણે પોતાનો વાયદો પુરો કરતા ખેડૂતોના દેવામાફીની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી પોતાના ચૂંટણી ઢંઢેરામાં પ્રજાને જે વાયદાઓ કર્યા હતા જેમાં સૌથી મહત્વનો વાયદો ખેડૂતોની દેવામાફીનો હતો.
સત્તા ગુમાવ્યા બાદ શિવરાજ સિંહે પણ કહ્યું હતું કે તેમને આશા છે કે કોંગ્રેસની સરકાર આવતા જ 10 દિવસોની અંદર ખેડૂતોની દેવામાફી કરવામાં આવશે. હવે કમલનાથ પોતાના વાયદાઓ પર પૂર્ણ કરવા માટે દેવામાફીની ફાઇલ પાસ કરી દીધી.
Bhopal: Madhya Pradesh Chief Minister Kamal Nath signs on the files for farm loan waiver pic.twitter.com/NspxMA8Z6i
થોડી ક્ષણો પહેલા ભોપાના જમ્બૂરી મેદાનમાં કમલનાથે મધ્યપ્રદેશના 18માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ દરમિયાન કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ સહિતના કોંગ્રેસના મોટા નેતાઓ હાજર રહ્યા હતા. તો રાજ્યપાલ આનંદીબહેન પટેલે કમલનાથને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવ્યા હતા. .આ શપથ ગ્રહણ સમારોહમાં પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ હાજર રહ્યા હતા.