કોરોનાની ગતિ મંદ પડતા મધ્યપ્રદેશમાં હવે 1 જુનથી અનલોકિંગની પ્રક્રિયા શરુ થઈ રહી છે.
દિલ્હી, મહારાષ્ટ્ર બાદ હવે મધ્યપ્રદેશમાં કોરોના કાબુમાં
1 જુનથી બધું ખોલવાની મુખ્યમંત્રી શિવરાજની જાહેરાત
રાજ્યમાં તબક્કાવાર અનલોકિંગ કરવામાં આવશે
મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચોહાણે જણાવ્યું કે રાજ્યમાં કોરોના કન્ટ્રોલમાં છે તેથી 1 જુનથી ધીરેધીરે બધુ રાબેતા મુજબ શરુ કરવામાં આવશે. વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠકમાં ચોહાણે જણાવ્યું કે અમે રાજ્યને કાયમી ધોરણે બંધ ન રાખી શકીએ. તબક્કાવાર રીતે થોડા દિવસોમાં પ્રતિબંધ હટાવવો પડશે.
રાજ્યમાં પોઝિટિવીટી રેટ 5 ટકા કરતા પણ ઓછો
મુખ્યમંત્રીએ ચોહાણે જણાવ્યું કે રાજ્યમાં પોઝિટિવીટી રેટ 5 ટકા કરતા પણ ઓછો છે અને રિકવરી રેટ 90 ટકાથી ઉપર છે. અમે કોરોના સંક્રમણને કન્ટ્રોલ કરવાની સ્થિતિમાં છીએ. રાજ્યમાં ગઈકાલે 82,000 સેમ્પલો લેવાયા જેમાં 3000 પોઝિટીવ નીકળ્યાં છે અને 9000 કરતા પણ વધારે દર્દીઓ સાજા થયા છે.
31 મે સુધી જ કોરોના કર્ફ્યુનું પાલન કરવાનો આદેશ
મુખ્યમંત્રીએ કહ્યું કે જિલ્લાધિકારીઓને 31 મે સુધી કોરોના કર્ફ્યુનું પાલન કરવાનો આદેશ આપ્યો છે. જોકે હોટસ્પોટ વિસ્તારોમાં નિયંત્રણ ચાલુ રહેશે અને સંક્રમણનો ફેલાવો અટકાવા એક કરતા વધારે માઈક્રો કન્ટેનમેન્ટ એરિયાનુ સૂચન કરાયું છે.
શિવરાજે જણાવ્યું કે અમે 1 જુનથી જનતા કર્ફ્યુ ખોલી રહ્યાં છીએ પરંતુ આ પ્રકારનું સંક્રમણ ફરી ન ફેલાય તેની ખાતરી રાખીશું. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર અનાથ બાળકોને દર મહિને 5000 નું પેન્શન, મફત રેશન તથા તેમના ભણતર ખર્ચની જોગવાઈ કરી રહી છે. વેક્સિનેશન અંગે શિવરાજે જણાવ્યું કે રાજ્યમાં ધીરે ધીરે વેક્સિનેશનની સંખ્યા વધારવામાં આવશે. અમને ખબર છે કે વેક્સિન સુરક્ષિત કવચ છે. તેથી વધારેમાં વધારે ડોઝને વેક્સિનેશન કામમાં સામેલ કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.