ઊષા ઠાકુરે કહ્યું કે 'જે ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ કરે છે તે દેશદ્રોહી છે'
સ્વામી રામદેવ પણ બાગેશ્વર ધામનાં સમર્થનમાં
બાગેશ્વર ધામનાં પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનાં વધુ એક સપોર્ટર સામે આવ્યાં છે. કેટલાક લોકો તેમના સમર્થનમાં ઊભા છે તો કેટલાક તેમનો વિરોધી દર્શાવી રહ્યાં છે. આ તમામની વચ્ચે હવે મધ્યપ્રદેશનાં કેબિનેટ મિનિસ્ટર ઊષા ઠાકુરે વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે 'જે લોકો ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ કરી રહ્યાં છે તે કેવળ અને કેવળ દેશદ્રોહી છે.'
'જે ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ કરે છે તે દેશદ્રોહી છે'
ઊષા ઠાકુરે કહ્યું કે 'જ્યારે જ્યારે રાષ્ટ્રદ્રોહીઓને મુશ્કેલીઓ હશે, સનાતન દૃઢતાથી મજબૂતાઈથી ઊભું હશે. ત્યાં સુધી આ પ્રકારનાં ષડયંત્રો વર્ષોથી ચાલ્યાં આવે છે. જે લોકો ધીરેન્દ્ર શાસ્ત્રીની પાછળ પડ્યાં છે તેઓ બીજું કંઈ નહીં પરંતુ દેશદ્રોહી છે.' આ પહેલા યોગગુરૂ રામદેવ બાબાનું સમર્થન ધીરેન્દ્ર શાસ્ત્રીને મળી ચૂક્યું છે. સ્વાની રામદેવે કહ્યું છે કે 'કેટલાક પાખંડી ધીરેન્દ્ર શાસ્ત્રી પર તૂટી પડ્યાં છે તો કેટલાક પૂછી રહ્યાં છે કે બાલાજીની કૃપા શું છે? હનુમાનજીની કૃપા શું છે?'
ચમત્કારો દેખાડવા સંતોનું નહીં જાદુગરોનું કામ-સીએમ બઘેલ
છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલે પણ પંડિત ધીરેન્દ્ર વિશે એક મોટું નિવેદન આપ્યું છે. સીએમ બઘેલે કહ્યું, 'આવા ચમત્કારો ન બતાવવા જોઈએ, આ જાદુગરોનું કામ છે. ઋષિ-મુનિઓએ આ બંધ કરી દીધું કે સિદ્ધિઓનો ઉપયોગ આ રીતે ન કરવો જોઈએ. પીર-ફકીરો ખ્રિસ્તીઓમાં હીલિંગ એસેમ્બલીમાં તાવીજ આપીને ચમત્કારો દેખાડે છે જે ટાળવા જોઈએ.
ચમત્કારો દેખાડવા સંતોનું નહીં જાદુગરોનું કામ-સીએમ બઘેલ
છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલે પણ પંડિત ધીરેન્દ્ર વિશે એક મોટું નિવેદન આપ્યું છે. સીએમ બઘેલે કહ્યું, 'આવા ચમત્કારો ન બતાવવા જોઈએ, આ જાદુગરોનું કામ છે. ઋષિ-મુનિઓએ આ બંધ કરી દીધું કે સિદ્ધિઓનો ઉપયોગ આ રીતે ન કરવો જોઈએ. પીર-ફકીરો ખ્રિસ્તીઓમાં હીલિંગ એસેમ્બલીમાં તાવીજ આપીને ચમત્કારો દેખાડે છે જે ટાળવા જોઈએ.