એસ. જયશંકરે ટ્વીટ કરી કહ્યું, ભારતીય રાજદૂત અને દૂતાવાસના કર્મચારીઓને કાબૂલથી ભારત લાવવા એક મુશ્કેલીભર્યુ અને જટિલ કામ હતુ.
આજે બપોરે રાજદૂત અને અન્ય કર્મચારીઓ દિલ્હી પહોંચશે
કર્મચારીઓને કાબૂલથી ભારત લાવવા એક મુશ્કેલીભર્યુ અને જટિલ કામ હતુ- વિદેશ મંત્રી
પીએમની મોટી બેઠક જારી, અજીત ડોભાલ સહિત આ લોકો હાજર
કર્મચારીઓને કાબૂલથી ભારત લાવવા એક મુશ્કેલીભર્યુ અને જટિલ કામ હતુ- વિદેશ મંત્રી
વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું છે કે કાબૂલમાં અરાજકતા વચ્ચે દૂતાવાસ કર્મચારીઓને પાછા ભારત લઈને આવવું મુશ્કેલીભર્યું કામ હતુ. વિદેશ મંત્રીએ ટ્વીટ કરી રહ્યું છે -ભારતીય રાજદૂત અને દૂતાવાસના કર્મચારીઓને કાબૂલથી ભારત લાવવા એક મુશ્કેલીભર્યુ અને જટિલ કામ હતુ. તે તમામ લોકોનો આભાર જેમણે આને શક્ય બનાવ્યું છે.
આજે બપોરે રાજદૂત અને અન્ય કર્મચારીઓ દિલ્હી પહોંચશે
આ દરમિયાન વિદેશ મંત્રાલયે જાણકારી આપી છે કે ભારતના અફઘાનિસ્તાનમાં રાજદૂત અને અન્ય તમામ ભારતીય કર્મચારીઓ પાછા ફર્યા છે. મંત્રાલયે એક જાહેરાતના માધ્યમથી જણાવ્યું કે કાબૂલની સ્થિતને જોતા એ નક્કી કર્યું હતું કે દૂતાવાસના કર્મચારીઓને તાત્કાલીક પાછા લાવવામાં આવશે. આ કામ 2 ચરણમાં પુરુ કરવામાં આવ્યું. આજે બપોરે રાજદૂત અને અન્ય કર્મચારીઓ દિલ્હી પહોંચશે.
પીએમની મોટી બેઠક જારી
ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અફઘાનિસ્તાનની સ્થિતિને લઈને રક્ષા મંત્રી રાજનાથ સિંહ પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી રહ્યા છે. આ બેઠકમાં ગૃહ મંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ હાજર છે. બેઠકમાં અફઘાનિસ્તાનની સ્થિતિમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા પર ચર્ચા ચાલી રહી છે.
અમરુલ્લાહ સાલેહએ પોતાને સંરક્ષક રાષ્ટ્રપતિ જાહેર કર્યા
બીજી તરફ અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહે પોતાને સંરક્ષક રાષ્ટ્રપતિ જાહેર કર્યા છે. સાલેહ ટ્વીટ કરી કહ્યું છે કે તેઓ પોતાના માટે સમર્થન ભેગુ કરી રહ્યા છે. સાલેહે ટ્વીટ પર લખ્યું કે, ‘સ્પષ્ટતઃ અફઘાનિસ્તાનના સંવિધાન મુજબ રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં દેશ છોડીને ભાગવા, રાજીનામુ અથવા મોત બાદ ઉપરાષ્ટ્રપતિ, કાર્યવાહક રાષ્ટ્રપતિ બની જાય છે. હું વર્તમાનમાં પોતાના દેશમાં છું અને હું કાયદાકીય રીતે કેર ટેકર રાષ્ટ્રપતિ છું. હું તમામ નેતાઓને તેમના સમર્થન અને સામાન્ય સહમતિ માટે સંપર્ક કરી રહ્યો છું.’