સરકાર મોટર-વાહન કાયદામાં એક સંશોધન કરવા જઇ રહી છે, જેમાં યાત્રા તેમજ પરિવહનના નિયમોનું ઉલ્લંઘન કરવા પર ચલણ ભરવા માટે 60 દિવસનો સમય આપવામાં આવશે. જો આ સમય મર્યાદામાં જો વાહન માલિક દંડની રકમ ચૂકવશે નહીં તો તેનું લાયસન્સ અથવા વાહન રજીસ્ટ્રેશનનું રિન્યુ કરવામાં નહીં આવે. પરિવહન મંત્રાલયના નિયમોના ડ્રાફ્ટ દ્વારા આ અંગેની જાણકારી સામે આવી છે.
કેન્દ્ર સરકાર મોટર-વાહન કાયદામાં કરી રહી છે સંશોધન
ચલણ ભરવા માટે 60 દિવસનો આપવામાં આવશે સમય
દંડ નહીં ભરાતા લાયસન્સ અથવા વાહન રજીસ્ટ્રેશન નહીં થાય રિન્યું
લાયસન્સ રિવન્યુ થશે નહીં
પરિવહન અધિકારીઓને જો કે વાહનના પરમિટ, ફિટનેસ અને ટેક્સ સાથે જોડાયેલ અરજીઓનો નિકાલ કરવાની મંજૂરી હશે. મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે તેનો મતલબ એ છે કે જો ચલણની ચૂકવણી નહી કરવામાં આવી તો વિભાગ દ્વારા રજિસ્ટ્રેશન અને લાઇસન્સ રિન્યુ કરવામાં આવશે નહીં. કેટલાક મામલે વાહનો અને ડ્રાઇવરો વિરુદ્ધ ચલણનો મામલો ક્યારેક મહીનાઓ તો ક્યારે વર્ષો સુધી પડેલો જોવા મળે છે, જેને ધ્યાનમાં લઇને આ જોગવાઇ લાવવાનો નિર્ણય કરાયો છે.
કંપાઉન્ડેબલ ગુનાઓ લાગુ પડશે
જો કોઇ વ્યક્તિ ચલણની રકમ જમા નથી કરી અને બીજી વખત ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા પકડાશે તો પહેલા કરતાં બે ગણો દંડ ચૂકવવો પડશે. અધિકારીએ જણાવ્યું કે આ બધા નિયમ કંપાઉન્ડેબલ ગુના પર લાગુ થશે. કંપાઉન્ડેબલ ચલણની તે શ્રેણી છે, જેમાં કોર્ટમાં ગયા વગર તમે દંડ ટ્રાફિક પોલીસને પાસે જમા કરાવી શકો છે.
પોર્ટલ પર હોંગે ઉલ્લંઘનનું વર્ણન
જો ટ્રાફિક અધિકારી રજિસ્ટ્રેશન અને લાયસન્સને રિન્યુ કરવવા માટે જો ના પાડતા હોય છે તો ઉલ્લંઘન કરનાર પાસે કોર્ટમાં જવાનો વિકલ્પ હશે. અધિકારીના જણાવ્યા અનુસાર નવો નિયમ એક ઓનલાઇન પોઇંટ ઓફ સેલ સિસ્ટમ દ્વારા ઇ-ચલણ કરવા પર કેન્દ્રિત હશે અને એજન્સીના લોકો દ્વારા નિયમોના ઉલ્લંઘનનું તમામ વિગત એક પોર્ટલ પર રાખવી પડશે, જેથી જરૂરિયાત પડવા પર ટ્રાફિક અધિકારી તેની મદદ લઇ શકે.