આજે દેશભરમાં મધર્સ-ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરેન્દ્રનગરની શ્રી સી.યુ. શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજની દિવ્યાંગ અને અંધ બહેનોની નિઃશુલ્ક સેવા કરતા પદ્મશ્રી એવોર્ડ વિજેતા મુક્તાબેન ડગલી એક માતા કરતા પણ વિશેષ સ્થાન ધરાવે છે અને અંધબહેનો માતાથી પણ વધુ લાગણી ધરાવે છે.