મુરાદાબાદના પંવાસા નિવાસી મલ્લો(60)નું બિમારી બાદ નિધન થયું હતું. મુરાદાબાદની ટીએમયૂમાં 11 એપ્રિલના રોજ તેમનું નિધન થઈ ગયું હતુ. મલ્લોની સાથે આવેલા તેમના દિકરા વિજય, પુત્રવધૂ ગુડ્ડો દેવી અને પડોશી શ્રીનિવાસ લોધીપુર સ્થિત એક વિદ્યાલયમાં ક્વોરન્ટાઈન છે. એ બાદ જે દ્રશ્ય સર્જાયું તે જાણી હચમચી જશો.
માતા પિતા અને પડોશી ક્વોરન્ટાઈન થયા બાળકો ગામમાં એકલા છે.
માતાને લઈને આવેલો દિકરો -પુત્રવધૂ ક્વોરેન્ટાઈન
માતાનું નિધન થયું પરિવારને અંતિમ દર્શન કરવા ન મળ્યા
વિજયે જણાવ્યુ કે હોસ્પિટલના તંત્રએ હજું સુધી તેમને તેમની માતાના દર્શન નથી કરાવ્યા. એવું જાણવા મળ્યુ છે કોરોનાની શંકાના આધારે તેમના નમૂના લેવામાં આવ્યા હતા. અહીં ઘણા બધા લોકો છે પણ હજું સુધી તેમના નમૂના લેવામાં નથી આવ્યા. વિજયે જણાવ્યું હતું કે તેમના બાળકો ગામમાં એકલા છે અને તે અહીં ક્વોરન્ટાઈન છે .
પોતાની મૃત માતાને જોવા માટે રાહ જોઈ રહ્યા છે. તેમની પાસે કોઈ નંબર પણ નથી કે જેનાથી હોસ્પિટલના તંત્ર પાસેથી આ જાણકારી મેળવી શકાય. તેમની નજર ક્વોરન્ટાઈન સેન્ટરની બહાર એકટસ જોઈ રહી છે. તેઓ એવું વિચારી રહ્યા છે . કદાચ હમણા તેના સમાચાર આવે.
આ દરમિયાન તેમની મોટી દીકરી પરિવારના 3 બાળકોને સંભાળી રહી છે અને પડોશી તથા સંબંધીઓ તેની મદદ કરી રહ્યા છે. ગામના નિવાસી તથા પૂર્વ ધારાસભ્ય સતેન્દ્ર સિંહે આ વિશે સંભલ જિલ્લાના પ્રસાશનના અધિકારીઓને ફોન પર વાત કરી હતી પણ કોઈ પરિણામ મળ્યુ નહોતુ.
દિકરા વિજયે જણાવ્યું કે મા મલ્લાનું યુરિન રોકાઈ ગયુ હતુ તેઓ શ્વાસ નહોતા લઈ શકતા. તેમને 9 એપ્રિલે મુરાદાબાદ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં 11 એપ્રિલે તેમણે દમ તોડ્યો હતો. હવે તેમની લાશને ત્યાં જ રાખવામાં આવી છે. એ પણ તેઓ નથી જોઈ શકતા. 4 દિવસ માતાની લાશ હોસ્પિટલમાં જ પડી રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતુ.