હરિયાણાના બહાદુરગઢમાં એક માતાનો કરુણ પોકાર સાંભળીને મરેલો પુત્ર સજીવન થવાની ચમત્કારી ઘટના બનતા લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું છે.
હરિયાણાના બહાદુરગઢની ચમત્કારી ઘટના
છ વર્ષનો મરેલો પુત્ર જીવિત થયો
માતાએ પુત્રની લાશ જોઈને કહ્યું બેઠો થઈ જા દિકરા
માતાનો કરુણ પોકાર સાંભળીને પુત્ર બેઠો થયો
મરેલા પુત્રના જીવીત થવાની ચમત્કારી ઘટના
દુનિયામાં આજે પણ ચમત્કાર સર્જાય છે તેમાં બેમત નથી. સાચા હૃદયની પ્રાર્થના તો ઈશ્વરે પણ સાંભળવી પડે છે. એક માતાના સાચા હૃદયની પ્રાર્થના અને કરુણ પોકારને કારણે મરેલો પુત્ર જીવીત થયાની એક ચમત્કારી ઘટના બની છે.
પુત્રની લાશ સામે જોઈને મા બોલવા લાગી, બેઠો થઈ જાવ મારા દિકરા
હરિયાણાના બહાદુરગઢમાં આજથી 20 દિવસ પહેલા એક છ વર્ષીય પુત્રને ડોક્ટરોએ મૃત જાહેર કરી દીધો. પરિવાર અંતિમ સંસ્કારની તૈયારી પણ કરી લીધી હતી. પરંતુ મા તો તેના પુત્રને જીવતો જોવા માંગતી હતી. માતા પુત્રની નનામી પાસે બેસી રહી. નનામીમાં બાંધેલી પુત્રીની લાશ સામે જોઈને મા બોલવા લાગી કે બેઠો થઈ જા મારા દિકરા, બેઠો થઈ જા.
માતાના કરુણ પોકાર બાદ પુત્રનો પ્રાણ પાછો આવ્યો
ભગવાને પણ જાણે માતાનો કરુણ પોકાર સાંભળી લીધો હોય તેમ થોડી વારમાં તો પુત્રના શરીરમાં પ્રાણનો સંચાર થયો અને તેના શરીરમાં હલનચલન થવા લાગી. આ જોઈને લોકો ચોંક્યા અને તાત્કાલિક ધોરણે પુત્રને રોહતકની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જ્યાં તેનો સંપૂર્ણ સાજો થઈ ગયો અને હસતા હસતા ઘેર પાછો પણ આવી ગયો.
દિલ્હીમાં ટાઈફોડની સારવાર ચાલતી હતી
બહાદુરગઢના રહેવાશી હિતેશ અને પત્ની જાહન્વીએ જણાવ્યું કે તેમના એકના એક પુત્રને ટાઈફોડ થયો હતો. સારવાર માટે તેને દિલ્હી લઈ જવાયો. 26 મે ના દિવસ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો. ત્યાર બાદ અમે લાશ લઈને ઘેર આવ્યાં.
પિતાએ મોંએ શ્વાસ આપ્યો તો પુત્રે હોઠ પર દાંત બેસાડી દીધા
જાહન્વી રડતા રડતાં પુત્રની લાશને હલાવીને તેને બેઠો થવાનો પોકાર કરી રહી હતી. થોડા સમય બાદ પુત્રના શરીરમાં પ્રાણનો સંચાર થયો. ત્યાર બાદ પિતા હિતેશે પુત્રને નનામીમાંથી બહાર કાઢ્યો અને તેને મોંઢેથી શ્વાસ આપવા લાગ્યા. કોઈકે બાળકની છાતી પર પણ દબાણ આપવાનું શરુ કર્યું. ત્યાર બાદ બાળકે પિતાના હોઠ પર દાંતી બટકું ભરી લીધું. પુત્રને તાત્કાલિક રોહતકની હોસ્પિટલમાં દાખલ કરાયો જ્યાં સઘન સારવાર બાદ તે સંપૂર્ણ સાજો થઈ ગયો હતો અને ઘેર પાછો ફર્યો હતો. જીવતો થઈને પાછો આવતા પુત્રનું ગામલોકોએ ભવ્ય સ્વાગત પણ કર્યું હતું.