કચ્છઃ કોટડા રોહા વિસ્તારમાં એક માતાએ બે બાળકો સાથે અગ્નિ સ્નાન કરી લેવાની ઘટના સામે આવી હતી. જે દુર્ઘટનામાં બે બાળકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. ત્યા માતાને ગંભીર હાલતમાં સારવાર અર્થ ભુજની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યારે ચાર દિવસ બાદ માતાનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને લઇને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે માતાએ આવેશમાં આવીને આ પગલું ભર્યું હતું. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નખત્રાણાના કોટડા રોહા ગામે એક મહિલાએ બે બાળકો સાથે કેરોસીન છાંટીને અગ્નિ સ્નાન કર્યું હતું. જે દરમિયાન બે બાળકોના ઘટના સ્થળે અને માતાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
જો કે ક્ષણીક આવેશમા બે માસુમ જીંદગીને મોત મળ્યુ છે બાદમાં માતાને પણ મોત મળ્યું... તો આ ઘટનાથી નખત્રાણા પંથકમાં ચકચાર ફેલાઇ છે.