બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / સુરત / Mother of 2 children committed suicide in surat Parwat village

સુરત / હથેળી પર "પતિ મુઝે પરેશાન કરતા હૈ" લખી બે સંતાનની માતાએ જીવન ટૂંકાવ્યું

Kishor

Last Updated: 05:31 PM, 26 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના પરવટ ગામે એક મહિલાએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી હથેળી પર "પતિ મુઝે પરેશાન કરતા હૈ" લખી આપઘાત કરી લીધો છે.

  • પરવટ ગામે 2 સંતાનોની માતાનો આપઘાત
  • હથેળી પર લખ્યું "પતિ મુઝે પરેશાન કરતા હૈ" 
  • 27 વર્ષીય સીતા ગૌસ્વામી ઝારખંડના વતની હતા 
  • લીંબાયત પોલીસે તપાસ હાથ ધરી

સુરતમાં એક મહિલાના આપઘાતનો બનાવ સામે આવ્યો છે. જેમાં પત્નીએ પોતાની હથેળી પર "પતિ મુઝે પરેશાન કરતા હૈ" લખી જીવન ટુંકાવ્યું છે. મહત્વનું છે કે આપઘાત કરનાર મહિલાને બે સંતાનો પણ છે. ઘટનાની જાણ થતાં લીંબાયત પોલીસ ઘટના સ્થળે પહોચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ ઘટના સ્થળે

પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરતના પરવટ ગામે એક મહિલાએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું છે. પરંતુ તેની સાથે તેઓએ કોઈ સ્યુસાઈડ નોટ નથી લખી પરંતુ હથેળી પર "પતિ મુઝે પરેશાન કરતા હૈ" લખી ગળે ફાંસો ખાઈ લીધો છે. આપધાત કરનાર મહિલાને બે સંતાનો પણ છે. ઘટનાની જાણ થતાં લીંબાયત પોલીસ ઘટના સ્થળે પહોચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પતિના ત્રાસના કારણે આ પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે.

પરીવાર ફરિયાદ કરશે તો પોલીસ પતિ વિરૂદ્ધ નોંધશે ગુનો

સુરતના પરવટ ગામે બે સંતાનની માતાએ આજે ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું છે. ત્યારે ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે ગળેફાંસો શા માટે ખાધો, કોણે મજબુર કરી? જેવી તમામ પ્રકારની વિગત મેળવવા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પ્રાથમિક તપાસમા જાણવા મળ્યું કે પતિ પરેશાન કરતો હતો જેના કારણે મહિલાએ કંટાળીને આ પગલુ ભર્યુ હતુ. હવે જો પરીવાર ફરિયાદ કરશે તો પોલીસ પતિ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ