સાસરિયાઓનાં ત્રાસથી પુત્રવધૂ દ્વારા આપઘાત કરવાના કિસ્સા તમે ઘણા સાંભળ્યાં હશે. પરંતુ અમદાવાદનાં નિકોલમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં પુત્રવધૂના ત્રાસથી સસરાએ ઝેરી દવા ગટગટાવી લીધી છે. લગ્નનાં સાત માસમાં જ પુત્રવધૂએ સાસુ-સસરા પર અનેક આરોપો લગાવી દીધા છે. તો સામે પક્ષે સાસુ-સસરા પુત્રવધૂ પર અત્યાચારનો આરોપ લગાવી રહ્યાં છે. ત્યારે બદલાતા સમયમાં બદલાઈ ગયેલી કુટુંબ વિભાવના.
સાસરિયાઓનાં ત્રાસથી પુત્રવધૂ દ્વારા આપઘાત (Suicide) કરવાના કિસ્સા તમે ઘણા સાંભળ્યાં હશે. પરંતુ અમદાવાદનાં નિકોલમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં પુત્રવધૂના ત્રાસથી સસરાએ ઝેરી દવા ગટગટાવી લીધી છે. લગ્નનાં સાત માસમાં જ પુત્રવધૂએ સાસુ-સસરા પર અનેક આરોપો લગાવી દીધા છે. તો સામે પક્ષે સાસુ-સસરા (Mother-in-law) (Father-in-law) પુત્રવધૂ પર અત્યાચારનો આરોપ લગાવી રહ્યાં છે. ત્યારે બદલાતા સમયમાં બદલાઈ ગયેલી કુટુંબ વિભાવનાનો જોઈએ આ અહેવાલ.
હાલમાં તો તેઓ પોતાનાં દીકરાનાં લગ્નને લઈને અફસોસ કરી રહ્યાં છે. એક ના એક દીકરા જોયાનાં લગ્ન મર્લિન સાથે કરાવીને તેમનો ઘરસંસાર શરૂ તો કરાવ્યો. પરંતુ માથાભારે પુત્રવધૂનાં ત્રાસથી સસરાને ઝેરી દવા પીને મરવાનું પસંદ કરવાનો વખત આવ્યો છે. અશ્વિનભાઈએ પુત્રવધૂનાં ત્રાસથી ઝેરી દવા ગટગટાવી લીધી છે. હાલમાં તેઓ ખાનગી હોસ્પીટલમાં સારવાર લઈ રહ્યાં છે. તેમનો એવો આક્ષેપ છે કે, પુત્રવધૂ મર્લિન તેમને માનસિક ત્રાસ આપીને સતત ધમકી આપતી રહે છે.
પુત્રવધૂ દીકરા સાથે વાત નહીં કરવાનું દબાણ કરીને દૂર સાસુસસરાને દૂર રાખતી હતી. જ્યારે પુત્ર પણ તેને સાથ આપીને પોતાનાં માતાપિતા પર અત્યાચાર કરતો હતો. જો કે, પુત્રવધૂ માર્લિને સાસુ-સસરા દ્વારા કરાયેલા આક્ષેપોને નકારી કાઢ્યાં છે. પુત્રવધુએ આક્ષેપ કર્યો કે સાસરિયા પાણી કે ખાવાનું આપતા ન હતા. તેણે સાસુ-સસરા દહેજ માટે દબાણ કરીને ત્રાસ આપતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે.
2 ઓકટોબર, 2018નાં રોજ જોય અને મર્લિનના સમાજના રીત-રિવાજ મુજબ લગ્ન તેના માતા-પિતાએ લગ્ન કરાવી આપ્યા હતાં. જો કે, જોયનાં આ બીજા લગ્ન હતાં. બંન્નેનાં સુખી દામ્પત્યજીવન વચ્ચે જ્યારે ઘરકંકાસ શરૂ થયો તો એક જ મકાનમાં મા-બાપ અને પુત્ર-પુત્રવધૂ અલગ રહેવા લાગ્યાં. સાસુ-સસરા અને પુત્રવધુનાં આક્ષેપો વચ્ચે દીકરાએ પણ મા-બાપ પર આક્ષેપ કર્યો કે તેના માતા પિતા તેનું લગ્નજીવન તોડાવા માગે છે. એટલું જ નહીં તેઓ તેને મિલકતમાં હિસ્સો પણ આપવા માગતા નથી.
હાલ તો આ ઘટનામાં કોનો પક્ષ સાચો છે તે તપાસનો વિષય છે અને આ માટે નિકોલ પોલીસે ગુનો નોંધીને તપાસ પણ શરૂ કરી છે. પરંતુ જ્યાં સુધી સામાજિક નિસ્બત ધરાવતો આ વિષય છે ત્યાં સુધી સંતાનોનાં લગ્નજીવન વચ્ચે પિસાતા તેમના માતા-પિતાની વેદના સમજવાની જરૂર છે. માત્ર પોલીસ તપાસથી સામાજિક તાણાવાણાની સમસ્યાનો ઉકેલ આવતો નથી. જો કે તેમ છતાં વાત અધિકારની હોય તો પોલીસ તપાસ જરૂરી છે.
મહત્વનું છે કે, વાડજમાં સસરાએ પુત્રવધૂ છુટાછેડા માટે રૂ 20 લાખની ખંડણી માંગતી હોવાનો આક્ષેપ કરતી ફરિયાદ નોંધાવી છે. જ્યારે નિકોલમાં સસરાએ પુત્રવધૂનાં ત્રાસથી કંટાળીને દવા પી લીધી. આ બન્ને કિસ્સાઓમાં મા-બાપની દયનીય સ્થિતિ ઊભરીને બહાર આવી રહી છે. કેટલીક એવી બાબતો હોય છે જેનો ઉકેલ કાયદાનાં નિયમોથી નહીં પરંતુ હૃદયનાં અવાજથી આવતો હોય છે.