સરકારી આદેશનું માન રાખીને મધર ડેરીએ મોંઘવારીમાં લોકોને થોડી રાહત આપી છે અને તેલના ભાવમાં 14 રુપિયાનો ઘટાડો જાહેર કર્યો છે.
મધર ડેરીએ લોકોને આપી નજીવી રાહત
સોયાબિન, રાઈસ બ્રાન તેલમાં ભાવમાં કર્યો 14 રુપિયાનો ઘટાડો
સરકારે આપ્યો હતો તેલના ભાવ ઘટાડવાનો ઓર્ડર
સનફ્લાવર તેલની કિંમત પણ ઘટાડશે મધર ડેરી
કંપનીના પ્રવક્તાએ આપ્યાં સંકેત
દેશમાં ખાદ્ય તેલની મોંઘવારી બેકાબુ બની રહી છે જેને કારણે સરકારે કંપનીઓને તેલના ભાવ ઘટાડવાની લોકોને રાહત આપવાનો ઓર્ડર આપ્યો હતો. સરકારના આદેશના બીજા જ દિવસે મધર ડેરીએ તેલના ભાવ ઘટાડાની જાહેરાત કરી છે. મધર ડેરીની જાહેરાત અનુસાર, સોયાબીન અને રાઈસ બ્રાન ઓઈલના ભાવમાં 14 રુપિયાનો ઘટાડો કરાયો છે એટલે કે લોકોને હવે બન્ને તેલ લીટરે 15 રુપિયા સસ્તું પડશે. બીજી કંપનીઓ પણ મધર ડેરીને પગલે ચાલી શકે છે.
Mother Dairy cuts MRP of soyabean, rice bran oils by up to Rs 14 per litre: Statement
મધર ડેરીએ સોયાબીન અને રાઈસ બ્રાન ઓઈલના ભાવમાં લીટરે 14રુપિયાના ઘટાડાની જાહેરાત કરી છે જે બહુ તો ન કહેવાય પરંતુ મોંઘવારીમાં નજીવી રાહત તો કહી શકાય.
સનફ્લાવર તેલની કિંમત પણ ઘટાડશે મધર ડેરી
મધર ડેરી ધારા બ્રાન્ડ હેઠળ ખાદ્યતેલોનું વેચાણ કરે છે. કંપનીના પ્રવક્તાએ સરકારના હસ્તક્ષેપનો લાભ ગ્રાહકોને આપતા, અમે ધારા સોયાબીન ઓઇલ અને ધારા રાઇસબ્રાન ઓઇલની એમઆરપીમાં પ્રતિ લિટર 15 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે, જે આવતા સપ્તાહ સુધીમાં બજારમાં ઉપલબ્ધ થઈ જશે. તે આગામી 15-20 દિવસમાં સનફ્લાવર ઓઇલની એમઆરપી (મેક્સિમમ રિટેલ પ્રાઇસ)માં ઘટાડાની અપેક્ષા રાખે છે. 16 જૂને, મધર ડેરીએ વૈશ્વિક બજારોમાં દરોમાં નરમાશ સાથે તેના રસોઈ તેલની કિંમતોમાં લિટર દીઠ 15 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો હતો.
તેલના ભાવ ઘટાડવાનો સરકારે કંપનીઓ કર્યો છે ઓર્ડર
આસામાન આંબી રહેલી મોંઘવારીને જમીન પર સ્થિર કરવા મોદી સરકાર એક પછી પગલાં ભરી રહી છે. પેટ્રોલ-ડીઝલ, સિમેન્ટ, સ્ટીલના ભાવ ઘટાડા બાદ હવે સરકાર ખાદ્ય તેલની કિંમતોને કાબુમાં લેવાના પગલાં ભરવાનું શરુ કર્યાં છે. ગુરુવારે સરકારે કંપનીઓને ખાદ્ય તેલના ભાવમાં લીટરે 10 રુપિયાનો ઘટાડો કરવાનો ઓર્ડર આપ્યો હતો.
દેશભરમાં એકસરખો ભાવ
આ ઉપરાંત તેલનાં ભાવ દેશભરમાં એકસરખા રાખવામાં આવે તેવો આદેશ પણ આપવામાં આવ્યો છે. જેનાં કારણે અવ્યવસ્થા ન સર્જાય અને અમુક વિસ્તારોમાં કાળાબજાર જેવી સ્થિતિ ઊભી ન થાય.
ભારત 60 ટકા ખાદ્ય તેલ વિદેશમાંથી મંગાવે છે
ભારત ખાદ્ય તેલની 60 ટકાથી વધુ આયાત કરે છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ ઉપરાંત ઇન્ડોનેશિયા દ્વારા નિકાસ પર પ્રતિબંધને કારણે આયાત પર અસર પડી છે. આ કારણે વૈશ્વિક તેમજ સ્થાનિક બજારમાં ખાદ્યતેલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. જો કે સરકારે ભાવ ઘટાડાને લઈને ગત વર્ષે પણ અનેક મહત્વના નિર્ણયો લીધા હતા.
સોયાબિન અને સનફ્લાવર તેલને કસ્ટમ્સ ડ્યુટી અને એગ્રી સેસમાંથી અપાઈ મુક્તિ
કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન અનુસાર, સરકારે બે મહત્વના તેલ સોયાબિન અને સનફ્લાવર તેલ પરની કસ્ટમ્સ ડ્યુટી અને એગ્રી સેસ જતી કરી દીધી હતી. સરકારના આ નિર્ણયને કારણે વિદેશમાંથી આવતા સોયાબિન અને સનફ્લાવર પર કોઈ ટેક્સ નહીં લાગે આને કારણે ઘરેલુ મોરચે બન્ને તેલ સસ્તા થઈ જશે. નોટિફિકેશનમાં એવું પણ જણાવાયું હતું કે 20 લાખ મેટ્રિક ટન સોયાબિન અને સનફ્લાવરની આયાત પર કસ્ટમ્સ ડ્યુટી અને એગ્રી સેસને માર્ચ 2024 સુધી મુક્તિ આપવામાં આવી છે.