રાજકોટમાં માતાએ બે બાળકોની હત્યા બાદ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગયો છે. રાજકોટના કુવાડવા નજીક નાકરાવાડી વિસ્તારમાં માતાએ બંને બાળકોને મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે અગ્નિસ્નાન કરી લીધું હતું જેને પગલે આપપાસના વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
મહિલાએ પોતોના બે બાળકો સાથે કર્યુ આત્મવિલોપન
જો કે હત્યા પાછળનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, સમગ્ર મામલે પોલીસે જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસ તપાસમાં હત્યા અને આત્મહત્યા પાછળ ઘરકંકાસ હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે, હાલ તો પોલીસે મૃતકોના પીએમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આસપાસના લોકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે.
મહત્વનું છે કે રાજ્યમાં અપરાધ અને ગુનાખોરીના કિસ્સા વધી રહ્યા છે, આપઘાત, અપહરણ, હત્યા, લૂંટ જેવી કિસ્સાઓ વધતા ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની સલામતી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે રાજકોટમાં માતાએ બે બાળકોની હત્યા નિપજાવી પોતે અગ્નિસ્નાન કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
DCP સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે
પોલીસ દ્વારા પરિવારજનોના નિવેદન લેવામાં આવ્યા છે, જેમાં મૃતકના પતિએ કહ્યું કે મારે ક્યારેય પત્નિ સાથે બોલાચાલી થઈ નથી, મારી માતાને એકવાર બોલાચાલી થઈ હતી, જો કે આજે વહેલી સવારે આ ઘટના બનતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. ઘટનાને પગલે DCP સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.